સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા 

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.

Read the Next Article

“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • નૂતન વર્ષના પ્રારંભે પોલીસે અનોખી હળવાશભરી ઉજવણી કરી

  • પોલીસ કમિશનરના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • 'હમ તો સાત રંગ હૈંગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરાય

  • વિવિધ ગીત થકી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

  • કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ મેગા ઑપરેશનની જાહેરાત કરી

Advertisment
1/38

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંગીતમય માહોલ ઊભો કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરી હતી. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ગીતો ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતજોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સરેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકો સેલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હેયે જહાં રંગી બનાયેંગેગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતુંજેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મુક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કેઆવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે.

સાથે જાહેરાત કરી હતી કેસુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. જેથી ફરિયાદી કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશન આવી શકે. જેમાં પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે તેવી પોલીસ કમિશનરે ખાતરી આપી હતી.