સુરત : ઝાંપા બજારની મની લેન્ડર્સ દુકાનમાંથી રોકડ-દાગીનાની લૂંટ ચલાવનાર 2 લૂંટારુઓની ધરપકડ...

લૂંટારુઓ પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂ. 2 હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા

New Update

ઝાંપા બજાર વિસ્તારમાં બની હતી લૂંટની ઘટના

મની લેન્ડર્સ દુકાનમાંથી રોકડ અને દાગીનાની લૂંટ

લૂંટ ચલાવનાર 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ

ગુનાનો ભેદ ઉકેલવામાં મહિધરપુરા પોલીસ સફળ

આર્થિક સંકળામળમાં લૂંટને અંજામ અપાયો : પોલીસ

સુરત શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં મની લેન્ડર્સ નામની દુકાનમાંથી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવનાર 2 શખ્સોની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

સુરત શહેર તથા જિલ્લામાં ગુન્હાખોરીનો ગ્રાફ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. હત્યાલૂંટચોરી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આરોપીઓ જરા પણ ખચકાતા નથી. જાણે આરોપીઓને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથીતેમ એક બાદ એક અલગ અલગ ઘટનાઓને અંજામ આપી રહ્યા છેત્યારે મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં ઝાંપા બજારમાં લૂંટની ઘટના બની હતી.

કીર્તિ બાબુલાલ શાહ નામના વેપારી "નાનચંદ શાહ" નામથી મની લેન્ડર્સ દુકાન ધરાવે છે. કીર્તિ બાબુલાલ શાહ ગ્રાહકો પાસેથી સોના-ચાંદીના ઘરેણા લઈ નાણા ધિરાણ પર આપવાનો વ્યવસાય કરે છે. આ દરમ્યાન ગત તા. 27મી જુલાઈના રોજ તેઓ પોતાની દુકાને હાજર હતાતે વેળાએ 2 ઈસમો તેમની દુકાને આવી ચઢ્યા હતા. મોઢે રૂમાલ બાંધી આવેલા બંને ઈસમો સોનાની ચેન ગીરવે મૂકી નાણા વ્યાજે લેવા આવ્યા હતા.

વેપારીએ સોનાની ચેન જોઈ ચકાસણી કરતા ખોટી નીકળી હતી. જે ખોટી સોનાની ચેન વેપારીએ પરત કરી દીધી હતી. જે બાદ 2 પૈકીના એક ઇસમ દ્વારા પોતાના પાસે રહેલ ઘાતક હથિયાર કાઢી વેપારીના લમણે મૂકી દીધુ હતુંજ્યારે અન્ય એક ઇસમે પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂ. 2 હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા.

જેથી પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન મહિધરપુરા પોલીસે બાતમીના આધારે ડિંડોલીભેસ્તાન આવાસ ખાતે રહેતા બસીરખાન ઇકબાલખાન પઠાણ અને સગરામપુરા તલાવડી વિસ્તારમાં રહેતા સમીર શબ્બીર સૈયદને ઝડપી પાડ્યા હતા.

પોલીસ આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કેહાલ ઝડપાયેલા આરોપી બસીર ખાન પઠાણ અગાઉ સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં જ કામ કરતો હતો. જે વિસ્તારમાં આ દુકાન આવેલ છેઅને તે દુકાનમાં વૃદ્ધ વયનો વેપારી વધુ રૂપિયા લઈ બેસતો હોવાની જાણ આરોપીને હતી. પોતાને નાણાની આર્થિક જરૂર હોય મિત્ર સમીર શબ્બીર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.