સુરત : 69 વર્ષીય બ્રેઇન ડેડ વૃદ્ધ અન્ય લોકો માટે જીવનદાતા બન્યા ,લીવર,કીડની,એક હાથ અને બંને ચક્ષુના કર્યા દાન

સુરતમાં રહેતા પટેલ સમાજના ચાંગાણી પરિવારના વૃદ્ધના લીવર, બંને કિડની, એક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું હતું. હાથનું ફરીદાબાદ ખાતે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

New Update
  • અંગદાન થકી ફરી માનવતા મહેકાવી

  • પાસોદરા ના 69 વર્ષીય વૃદ્ધના અંગદાન કરાયા

  • લીવર,બે કિડનીહાથ તેમજ ચક્ષુઓનું દાન કરાયુ

  • 69 વર્ષીય રણછોડ ચાંગાણીનું બ્રેઈન ડેડનું નિદાન થયું હતું

  • પરિવારે અંગદાનની સંમતિ આપતા કરાયું અંગદાન

Advertisment

સુરતમાં 69 વર્ષીય વૃદ્ધ બ્રેઇનડેડ થતા તેઓના પરિવારે તેમના અંગોના દાનનો નિર્ણય કર્યો હતો,અને તેમના લીવરબંને કિડની,એક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું હતું.

સુરતમાં રહેતા પટેલ સમાજના ચાંગાણી પરિવારના વૃદ્ધના લીવરબંને કિડનીએક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું હતું. હાથનું ફરીદાબાદ ખાતે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનસુરત દ્વારા 20મું અંગદાન કરાવવામાં આવ્યું હતું.

મૂળ જામનગરમાં હરસદપુર ગામના વતની અને હાલમાં પાસોદરા પાટીયા ખાતે સુરભી ધ રીયલ ખાતે રહેતા 69 વર્ષીય રણછોડભાઇ મનજીભાઇ ચાંગણી ગત 28મી ફેબ્રુઆરીના રોજ મોડી રાતે ઘરમાં ઉલ્ટીના ઉબકા શરૂ થયા હતા. બાદમાં તેની તબિયત વધુ બગડતા સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જ્યાં 1 માર્ચના રોજ ડોકટરોની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.આ અંગે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમને જાણ થતા પી.એમ. ગોંડલીયાવિપુલતળાવિયાડો. નિલેશ કાછડીયા હોસ્પિટલ ખાતે પહોંચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી.

બંને કિડની અને લીવરઅમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.આ સાથે ફરીદાબાદ ખાનગી હોસ્પિટલમાં એક હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.જ્યારે તેના ચક્ષુ લોક દ્રષ્ટિ ચક્ષુ બેન્કે સ્વીકારી હતી.

Advertisment
Read the Next Article

સુરત : રાંદેરમાંથી પાનનો ગલ્લો ચલાવતા શખ્સ પાસેથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો,SOGએ કરી કાર્યવાહી

સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.

New Update
  • રાંદેરમાં SOG પોલીસની મોટી કાર્યવાહી

  • ઈ-સિગારેટના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ

  • ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો 36.58 લાખનો જથ્થો જપ્ત

  • પોલીસે અન્ય એક આરોપીને કર્યો વોન્ટેડ જાહેર 

  • મુંબઈથી ઈ-સિગારેટ લાવવામાં આવતી હતી 

Advertisment

સુરતના રાંદેર મેરુલક્ષ્મી સોસાયટીમાં ભાડે રાખેલા મકાનમાંથી એસઓજીએ 36.58 લાખની ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાનનો ગલ્લો ચલાવનાર સામે કાર્યવાહી કરી છે.જયારે તેના એક ભાઈને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે. જેના આધારે એસઓજીનએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન પાનનો ગલ્લો ચલાવનાર નાઝીર મોહંમદ જાવેદ શેખને ઈ-સિગારેટ સાથે પકડી પાડયો છે. તેના ઘરમાં વચ્ચેના માળે બનાવેલા ગોડાઉનમાંથી ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટના 8256 બોક્સ રૂપિયા 36.58 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ ઈ-સિગારેટ તેનો ભાઈ કાદીર શેખ મુંબઇથી લાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.એસઓજીએ તેના ભાઈ કાદીરને વોન્ટેડ જાહેર કર્યો છે. કાદીર પકડાય પછી મુંબઇથી કોની પાસેથી સિગારેટ લાવતો હતો,તેની ભાળ મળી શકશે.

Advertisment