સુરત: એકજ પરિવારના 7 લોકોએ આપઘાત કરી લેતા ખળભળાટ, સીધેશ્વર એપાર્ટમેંટની ઘટના
સુરતના પાલનપુર પાટિયા નજીક સીધેશ્વર એપાર્ટમેંટમાં રહેતા એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે
BY Connect Gujarat28 Oct 2023 7:56 AM GMT
X
Connect Gujarat28 Oct 2023 7:56 AM GMT
સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા નજીક સીધેશ્વર એપાર્ટમેંટમાં રહેતા એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરિવારે આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે..
Next Story