સુરત : વુમન પ્રોગ્રેસ અલાયન્સનાં કાર્યક્રમમાં બી કે શિવાની દીદીના સાનિધ્યમાં 7000 લોકોએ લીધા શપથ

બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જા, એક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 7000 લોકોએ ટ્રાફિક નિયમોના પાલન અર્થે શપથ લીધા

New Update
  • વુમન પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા કાર્યક્રમનું આયોજન

  • બી કે શિવાની દીદીના સાનિધ્યમાં યોજાયો કાર્યક્રમ

  • એક નઈ ઊર્જાએક નયા સંકલ્પ કાર્યક્રમનું કરાયું આયોજન

  • 7000 લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના લીધા શપથ

  • નારી સશક્તિકરણ હેતુથી યોજાયો કાર્યક્રમ

સુરત વુમન પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા નવચેતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,આ પ્રસંગે  બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જાએક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 7000 લોકોએ ટ્રાફિક નિયમોના પાલન અર્થે શપથ લીધા હતા. 

સુરત વુમન પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા નવચેતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જાએક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી સશક્તિકરણ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં 7000 કરતા વધુ લોકો દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં ટ્રાફિક નિયમનું પાલન કરવાના શપથ પણ લેવામાં આવ્યા હતા.

બાઈક ચલાવતા સમયે હેલ્મેટ તેમજ કાર ચલાવતા સમયે સીટબેલ્ટ બાંધવાના લોકોએ શપથ લીધા હતા.અને બી કે શિવાની દીદીએ વર્તમાન તણાવટેન્શન,નકારાત્મક તેમજ દોડધામ ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળ માર્ગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 100 જેટલી બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.

Latest Stories