-
જવેલરી અને જવેલર્સ એસો.દ્વારા સ્નેહમિલન યોજાયુ
-
સ્નેહમિલનની સાથે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો
-
કેન્દ્રીય મંત્રી સહિત ગૃહમંત્રી પણ રહ્યા ઉપસ્થિત
-
જળ એજ જીવન માટે માર્ગ દર્શન અપાયું
-
લોક ડાયરાની રમઝટ સાથે એવોર્ડ પણ એનાયત કરાયા
સુરતમાં જવેલરી અને જવેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,તેમજ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત જવેલરી હોલસેલ એસોસિએશન તેમજ વરાછા કતારગામ જવેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ મેયર દક્ષેશ માવાણી અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીની મોસમમાં રાજ્યમાં તેમજ દેશમાં પાણીની સમસ્યાનો પોકાર સામે આવી રહ્યો છે.ત્યારે લોકોને પાણીની તકલીફ ન પડે તેવા હેતુથી જળ એજ જીવન જાગૃતિ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ એસોસિએશન દ્વારા 170 પાણીના બોર અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે, તો 3000 પાણીના બોર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત પારિવારિક સ્નેહમિલન સાથે લોક ડાયરો તેમજ 2025 એવોર્ડ અર્પણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.