સુરત : "વોટ ફોર ગુજરાત"ની વિશાળ માનવાકૃત્તિ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળનું અનોખુ મતદાર જાગૃતિ અભિયાન

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો.

New Update
સુરત : "વોટ ફોર ગુજરાત"ની વિશાળ માનવાકૃત્તિ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળનું અનોખુ મતદાર જાગૃતિ અભિયાન

આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તેવા આશય સાથે સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે 'વોટ ફોર ગુજરાત'ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક ચિન્હની રચના કરવામાં આવી હતી.

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓના દ્વારા મતદાન જાગૃતિના સંદેશ સાથેની વિશેષ માનવાકૃત્તિની રચના કરવામાં આવી હતી. ગુરુકુળના વિદ્યાર્થીઓએ "વોટ ફોર ગુજરાત"ની વિશાળ માનવાકૃત્તિ બનાવી હતી. જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરવા જાય તે માટે અનોખી રીતે સંદેશો પાઠવાયો હતો. જેમાં ગુરુકુળના શિક્ષકો આચાર્ય દ્રષ્ટિ સ્વામી અને વિદ્યાર્થીઓ સાથે મળી ગુજરાતનો નક્શો બનાવ્યો હતો. મતદાન જાગૃતિના સંદેશા સાથેની માનવાકૃત્તિને ડ્રોન કેમેરાથી શૂટ કરવામાં આવી હતી, ત્યારે આ માનવાકૃત્તિને ઊંચાઈએથી જોતા અદભુત નજારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને જુદા જુદા માધ્યમ થકી મતદાન જાગૃતિના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ તકે સ્વામિનારાયણ ગુરુકુળના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કિંમતી વોટના દાનમાં ક્યારેય ઓટ ન આવવા દેવી જોઈએ. વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે દાનમાં માણસને ખર્ચ કરવો પડતો હોય છે, જ્યારે મતદાન વગર ખર્ચનું દાન છે. આ પવિત્ર દાન એક એવું માધ્યમ છે કે, જે સરકાર રચી પણ શકે છે, ને સત્તાને પદભ્રષ્ટ પણ કરી શકે છે. એટલે જ જાતિવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદના ઉન્માદને દફનાવનારૂ મતદાન અવશ્ય કરવું.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.