સુરત : રિંગ રોડ વિસ્તારમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઇ,એક વ્યક્તિનું નીપજ્યું મોત

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે.મંગળવારે આગ લાગ્યા બાદ ફરી એકવાર ભીષણ આગ લાગી છે

New Update
  • શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટના  

  • ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાથી દોડધામ

  • બેઝમેન્ટના ભાગે લાગેલી આગ બીજા માળ સુધી પ્રસરી

  • આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત

  • 20થી વધુ ફાયરની ગાડીએ આગ પર મેળવ્યો કાબુ 

Advertisment W3.CSS

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે.મંગળવારે આગ લાગ્યા બાદ ફરી એકવાર ભીષણ આગ લાગી છે.આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.આ ઘટનામાં પ્રથમ માળે આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. 

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી.આગના કારણે ભારે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આ ઘટનામાં ગૂંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

બેઝમેન્ટમાં લાગેલી આગ પ્રથમ,બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી,જેમાં 10થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી.ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો,સર્જાયેલી દુર્ઘટનામાં મોટી નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.