સુરત : 29 વર્ષથી ફરાર આરોપી 1800 KM દૂર ઓરિસ્સાથી ઝડપાયો, દેશી તમંચા સાથે આપ્યો હતો લૂંટને અંજામ...

સુરતમાં ધાડ અને લૂંટના ગુન્હામાં છેલ્લા 29 વર્ષથી ફરાર આરોપીની પોલીસે 1800 કિલોમીટર દૂર ઓરિસ્સાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

છેલ્લા 29 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો આરોપી, દેશી તમંચા સાથે આપ્યો હતો લૂંટને અંજામ : પોલીસ

Advertisment

મળતી માહિતી અનુસાર, વર્ષ 1996માં સુરત શહેરના સચિન વિસ્તારમાં ધાડ અને લૂંટની ઘટના બની હતી. દેશી તમંચા સાથે લૂંટ કરવાના ગુન્હામાં આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરીડા છેલ્લા 29 વર્ષથી ફરાર હતો. 

આ મામલે સુરત LCB ઝોન-6 દ્વારા ફરાર આરોપીને 1800 કિલોમીટર દૂર ઓરિસ્સાથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને પકડવા પોલીસે સ્થાનિક મજૂર, લોન્ડ્રી બોય તેમજ ઈંડાની લારીવાળાનો વેશ પલટો કર્યો હતો.

સતત 5 દિવસ સુધી સુરત પોલીસે ઓરિસ્સા ખાતે રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો, ત્યારે હાલ તો સુરત પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Advertisment
Read the Next Article

સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

Advertisment

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment