સુરત સામુહિક દુષ્કર્મની ઘટનાનો મામલો
પોલીસે બે આરોપીની કરી હતી ધરપકડ
આરોપી શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડી હતી
સિવિલ હોસ્પિટલમાં હતો સારવાર હેઠળ
આરોપીને શ્વાસ લેવાની તકલીફ થતા નીપજ્યું મોત
આ અંગે LCB પોલીસ ઇન્સ્પેકટર રાજેશ ભટોલે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થતાં બપોરના 1.30 વાગ્યે કામરેજ હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તેનું મોત થઈ ગયું હતું.આરોપીની તબિયત ખરાબ થવા અંગેનું કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ પોલીસે શરૂ કરી છે.જ્યારે અન્ય એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ માંગરોળના મોટા બોરસરા ગામે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સામાન્ય નહીં પરંતુ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.તરૂણી પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ પૈકીના બે નરાધમો મુન્ના પાસવાન અને શિવશંકર ચૌરસિયા રીઢા ગુનેગાર છે. તેમાં પણ શિવશંકર ચૌરસિયા સામે હત્યાનો ગુનો નોંધાયેલો છે.