સુરત : એર એશિયાની દિલ્હી, કોલકાતા બેંગ્લુરુની ફ્લાઇટ શરૂ, સી.આર.પાટીલના હસ્તે પ્રથમ મુસાફરને ટિકિટ અર્પણ કરાય

સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી.

New Update
સુરત : એર એશિયાની દિલ્હી, કોલકાતા બેંગ્લુરુની ફ્લાઇટ શરૂ, સી.આર.પાટીલના હસ્તે પ્રથમ મુસાફરને ટિકિટ અર્પણ કરાય

સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી.

સુરત એરપોર્ટ પર શુક્રવારથી ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં એર એશિયા દિલ્હી, બેંગ્લુરૂ અને કોલકાતા માટે સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ફ્લાઇટ ચેન્જ કર્યા વિના લખનૌ, ચેન્નાઇ અને જ્યપુરની કનેક્ટિવિટી મળશે. આ વન-વે ફ્લાઇટ હશે, અને વાયા દિલ્હી સંચાલિત થશે. આ સાથે જ સુરત એરપોર્ટ પર કુલ 15 શિડ્યુલ ફ્લાઇટ થઇ જશે. જેમાં વેન્ચુરાની 4 નોનશિડ્યુલ ફ્લાઇટ ઉમેરીએ તો રોજની 19 ફ્લાઇટ થશે. જેથી શિડ્યુલ અને નોન શિડ્યુલ મળીને રોજ કુલ 38 ફ્લાઇટની ‌અવરજવર થશે, ત્યારે સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સુરત એરપોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories
Read the Next Article

સુરત : સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં વધારો,નેચર પાર્કને રૂ.40.39 લાખની થઈ આવક

વન્ય પ્રાણીઓને નજરે જોવા અને તેમના વિશે જાણકારી મેળવવા માટે વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ લોકોએ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી જેના કારણે નેચર પાર્કને 40.93 લાખ જેટલી આવક થઈ

New Update
  • સુરત મનપા દ્વારા સંચાલિત નેચર પાર્ક

  • પ્રાણીસંગ્રહાલયને ઉનાળુ વેકેશન ફળ્યું

  • 1.94 લાખ લોકોએ નેચર પાર્કની લીધી મુલાકાત

  • નેચર પાર્કમાં 40.39 લાખ રૂપિયાની થઈ આવક

  • વન્ય પ્રાણીઓ મુલાકાતીઓમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર 

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા પ્રાણીસંગ્રહાલયની વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.અને નેચર પાર્કને 40 લાખ 39 હજાર રૂપિયાની આવક થઇ હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા પ્રાણીસંગ્રહાલય વેકેશન દરમિયાન સહેલાણીઓ માટેની પસંદગી બન્યું હતું.વન્ય પ્રાણીઓને નજરે જોવા અને તેમના વિશે જાણકારી મેળવવા માટે વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ લોકોએ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી,જેના કારણે નેચર પાર્કને 40.93 લાખ જેટલી આવક થઈ હતી.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.ખાસ કરીને વાઘ,સિંહ,દીપડા,રીંછ,જળ બિલાડી સહિત પક્ષીઓ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

Latest Stories