સુરત : સ્કૂલમાં પ્રાર્થના કરતી માસુમ ફૂલ સમાન બાળકીએ જીત્યા સૌના દિલ,સંસ્કારોનું ઘડતર અને સિંચનનું ઉત્તમ ઉદાહરણ.

સુરતમાં માસુમ ફૂલ જેવી બાળકીનો સ્કૂલમાં પ્રાર્થના કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.આ દીકરીની નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે.

New Update
  • ફૂલ સમાનદીકરીનો પ્રાર્થના કરતો વાયરલ વિડિયો

  • પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીની અનોખી પ્રાર્થના

  • પ્રાર્થનાનાં હાવ ભાવ અને માસુમિયતે સૌના દિલ જીત્યા

  • જૈન સમાજની દીકરીએ પ્રાર્થના થકી પ્રેમભર્યો સંદેશ આપ્યો

  • પરિવાર અને શિક્ષકોએ ગર્વની લાગણી અનુભવી

સુરતમાં માસુમ ફૂલ જેવી બાળકીનો સ્કૂલમાં પ્રાર્થના કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.આ દીકરીની નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે.

સુરતના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ઢીંગલી જેવી દેખાતી માસુમ બાળકીના ચહેરા ઉપર ભક્તિ અને નિર્દોષતા ઉભરી રહી છે.એક શાંત અને પ્રેમ ભર્યો સંદેશ આ માસુમ બાળકી એક પ્રાર્થના થકી આપી રહી છે.જે વાયરલ વિડીયોમાં દેખાતી આ બાળકીએ સૌ કોઈના હૃદય સ્પર્શી લીધા છે.પ્રાર્થનાના શબ્દો તો મીઠા જ છે પણ તેની સાથે બાળકીના ભાવ પણ એટલા જ નિર્દોષ જોવા મળી રહ્યા છે.

સુરતમાં બ્લુ પેપીયો નામની પ્રિય સ્કૂલ આવેલી છે.જે સ્કૂલમાં આ માસુમ બાળકી અભ્યાસ કરે છે. ઇનાયા શાહ નામની આ બાળકીના સંસ્કારો આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યા છે. આજના ટેકનોલોજી અને મોબાઈલ જેવા જમાનામાં મોટાભાગના બાળકો ગેમ્સ અને સ્ક્રીનમાં રચ્યા પચ્યા રહે છે. પરંતુ જ્યારે આ નાનકડી બાળકીની ભક્તિ અને નિર્દોષતાનો આ વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયોત્યારે તેણીનો એક શાંત અને પ્રેમ ભર્યો સંદેશ પણ આ વીડિયોમાં જોવા મળ્યો છે.

પ્રિય સ્કૂલમાં અભ્યાસ કરતી માસુમ બાળકી ઇનાયા શાહ જૈન સમાજમાંથી આવે છે. જેથી જૈન સમાજનો ધાર્મિક મંત્ર પણ આ બાળકી બોલે છે.અને આ પ્રાર્થના પણ તેણીએ પોતાના હાવભાવથી વ્યક્ત કરી હતી.જે નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે.

ઉલ્લેખનીય છે કે જો માતા પિતા પોતાના બાળકોને બાળપણથી જ સંસ્કારો અંગેની સમજણ આપે તો બાળકનું યોગ્ય રીતે ઘડતર થઈ શકે છે. જે સુરતની ઇનાયા શાહમાં જોવા મળ્યું છે. જે માસુમ બાળકી હજી તો પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે,પરંતુ તેના સંસ્કારો અને તેની ધાર્મિક લાગણીઓ ચહેરા પર ઉભરી આવે છે.જે બાળકી અન્ય બાળકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનીને સામે આવી છે.જે બદલ પરિવાર અને શાળાના શિક્ષકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.