સુરત : સ્કૂલમાં પ્રાર્થના કરતી માસુમ ફૂલ સમાન બાળકીએ જીત્યા સૌના દિલ,સંસ્કારોનું ઘડતર અને સિંચનનું ઉત્તમ ઉદાહરણ.

સુરતમાં માસુમ ફૂલ જેવી બાળકીનો સ્કૂલમાં પ્રાર્થના કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.આ દીકરીની નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે.

New Update
  • ફૂલ સમાનદીકરીનો પ્રાર્થના કરતો વાયરલ વિડિયો

  • પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીની અનોખી પ્રાર્થના

  • પ્રાર્થનાનાં હાવ ભાવ અને માસુમિયતે સૌના દિલ જીત્યા

  • જૈન સમાજની દીકરીએ પ્રાર્થના થકી પ્રેમભર્યો સંદેશ આપ્યો

  • પરિવાર અને શિક્ષકોએ ગર્વની લાગણી અનુભવી

Advertisment

સુરતમાં માસુમ ફૂલ જેવી બાળકીનો સ્કૂલમાં પ્રાર્થના કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.આ દીકરીની નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે.

સુરતના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ઢીંગલી જેવી દેખાતી માસુમ બાળકીના ચહેરા ઉપર ભક્તિ અને નિર્દોષતા ઉભરી રહી છે.એક શાંત અને પ્રેમ ભર્યો સંદેશ આ માસુમ બાળકી એક પ્રાર્થના થકી આપી રહી છે.જે વાયરલ વિડીયોમાં દેખાતી આ બાળકીએ સૌ કોઈના હૃદય સ્પર્શી લીધા છે.પ્રાર્થનાના શબ્દો તો મીઠા જ છે પણ તેની સાથે બાળકીના ભાવ પણ એટલા જ નિર્દોષ જોવા મળી રહ્યા છે.

સુરતમાં બ્લુ પેપીયો નામની પ્રિય સ્કૂલ આવેલી છે.જે સ્કૂલમાં આ માસુમ બાળકી અભ્યાસ કરે છે. ઇનાયા શાહ નામની આ બાળકીના સંસ્કારો આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યા છે. આજના ટેકનોલોજી અને મોબાઈલ જેવા જમાનામાં મોટાભાગના બાળકો ગેમ્સ અને સ્ક્રીનમાં રચ્યા પચ્યા રહે છે. પરંતુ જ્યારે આ નાનકડી બાળકીની ભક્તિ અને નિર્દોષતાનો આ વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયોત્યારે તેણીનો એક શાંત અને પ્રેમ ભર્યો સંદેશ પણ આ વીડિયોમાં જોવા મળ્યો છે.

પ્રિય સ્કૂલમાં અભ્યાસ કરતી માસુમ બાળકી ઇનાયા શાહ જૈન સમાજમાંથી આવે છે. જેથી જૈન સમાજનો ધાર્મિક મંત્ર પણ આ બાળકી બોલે છે.અને આ પ્રાર્થના પણ તેણીએ પોતાના હાવભાવથી વ્યક્ત કરી હતી.જે નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે.

ઉલ્લેખનીય છે કે જો માતા પિતા પોતાના બાળકોને બાળપણથી જ સંસ્કારો અંગેની સમજણ આપે તો બાળકનું યોગ્ય રીતે ઘડતર થઈ શકે છે. જે સુરતની ઇનાયા શાહમાં જોવા મળ્યું છે. જે માસુમ બાળકી હજી તો પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે,પરંતુ તેના સંસ્કારો અને તેની ધાર્મિક લાગણીઓ ચહેરા પર ઉભરી આવે છે.જે બાળકી અન્ય બાળકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનીને સામે આવી છે.જે બદલ પરિવાર અને શાળાના શિક્ષકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

 

Advertisment
Read the Next Article

સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર  

Advertisment

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisment