સુરત : ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સામે ઉઠી ફરિયાદો, માંડ બે-ત્રણ વાર કચરો એકત્ર કરાતા સ્થાનિકોમાં રોષ

ઉધના અને લીંબયાત ઝોનમાં ડોર ટુ ડોર ગારબેજના વાહનો માત્ર 2 કે, 3 દિવસ કચરો ઉઘરાવવા માટે આવતા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

New Update
સુરત : ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સામે ઉઠી ફરિયાદો, માંડ બે-ત્રણ વાર કચરો એકત્ર કરાતા સ્થાનિકોમાં રોષ

સુરત શહેરના અનેક ઝોન અને વિસ્તારમાં ડોર ટુ ડોર ગારબેજની અપાતી સેવા સામે ફરિયાદો ઉઠી છે. જેમાં અઠવાડીયામાં માત્ર 2 વખત કચરો લેવા માટે વાહન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. સુરતના ઉધના અને લીંબયાત ઝોનમાં ડોર ટુ ડોર ગારબેજના વાહનો માત્ર 2 કે, 3 દિવસ કચરો ઉઘરાવવા માટે આવતા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પાલિકા કચેરીમાં ઇજારદાર વિરુદ્ધ ફરિયાદનો ઢગલો ઠાલવવામાં આવ્યો છે.

જોકે, અઠવાડિયામાં માંડ બે-ત્રણ વખત ઇજારદાર દ્વારા કચરો એકત્ર કરાતો હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે જ આરોગ્ય કમિટીની સંકલન બેઠકમાં પણ આ મામલે ફરિયાદો સામે આવી હતી, ત્યારે ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના ઇજારદાર ઓમ સ્વચ્છતા કોર્પોરેશન વિરુદ્ધ આરોગ્ય કમિટીના ચેરમેન દર્શીની કોઠીયાને કરાઈ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદના પગલે નાયબ આરોગ્ય કમિશ્નરને આરોગ્ય કમિટીના ચેરમેને લેખિતમાં બેદરકારી બદલ ઇજારદાર સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવા પણ સૂચન કર્યું છે.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.