સુરત: શાળાના બાળકોને ભણાવાશે કોરોનાનો અભ્યાસક્રમ,જુઓ મહાનગર પાલિકાએ શું કર્યો નિર્ણય

હવે આપણે કોરોનાની સાથે જ જીવવાનું છે, કોરોના કાયમી રહેવાનો છે તે સૌ કોઈ કહી રહ્યા છે ત્યારે

New Update
સુરત: શાળાના બાળકોને ભણાવાશે કોરોનાનો અભ્યાસક્રમ,જુઓ મહાનગર પાલિકાએ શું કર્યો નિર્ણય

હવે આપણે કોરોનાની સાથે જ જીવવાનું છે, કોરોના કાયમી રહેવાનો છે તે સૌ કોઈ કહી રહ્યા છે ત્યારે સુરત મહાનગર પાલિકાએ રાજયમાં સૌ પ્રથમ વખત એક અનોખી પહેલ કરી છે જેમાં શાળામાં ભણતા બાળકોને કોરોનાની જાણકારી આપવા માટે કોરોનાનો વિષય અભ્યાસક્રમમાં સમાવવામાં આવ્યો છે

Advertisment

સુરત મહાનગર પાલિકાએ કોરોના અંગે જનજાગૃતિ વધે એ હેતુથી કોરોનાની મૂળભૂત જાણકારી વિદ્યાર્થીઓને મળી રહે તેવું આયોજન હાથ ધર્યું છે. હાલ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની શાળાઓ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને કોરોના અંગેની માહિતી આપતો અભ્યાસક્રમ શીખવવામાં આવશે, જેનો હેતુ કોરોના અંગે તમામ જાણકારી અને જાગૃતિનો છે. દરેક શાળામાં આ અભ્યાસક્રમનો અમલ કરવામાં આવશે. સુરત મનપા ગુજરાતમાં પ્રથમ મનપા છે જે કોરોનાનો અભ્યાસક્રમ ફરજીયાત કરવા જઈ રહી છે. કોરોનાના આ અભ્યાસક્રમમાં કોરોના એટલે શું?, કોરોનાના વેરિયન્ટ અને મ્યુન્ટ શુ છે, કેવી રીતે કોરોનાનો ચેપ લાગી શકે, કોરોના થી બચવા શુ કરવું, કોરોનામાં સ્ટીરોઇડ અપાય તો શું આડ અસર થાય, કોરોનાનો ચેપ અટકાવવા શુ કરવું વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

Advertisment
Latest Stories