સુરત : ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઈ સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું : ઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીં..!

શ્વ વિખ્યાત કાપડ ઉદ્યોગ માટે સિલ્ક સિટી તરીકે જાણીતું છે. સુરત ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગનો એક મુખ્ય આધારસ્તંભ છે, જે અર્થતંત્રને વેગ આપવા અને મોટાપાયે રોજગાર પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ છે

New Update
  • દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો મુખ્ય આધારસ્તંભ સુરત

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું મોટું નિવેદન

  • ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠમણાંને લઇ નિવેદન આપ્યું

  • રોકડામાં કાપડનો માલ આપોપછી જુઓ ઉદ્યોગ આગળ વધશે

  • ઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીં : સી.આર.પાટીલ

સુરત ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠમણાંને લઇ મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ મંચ પરથી જણાવ્યુ હતું કેઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીંતેવું ફોસ્ટા દ્વારા નક્કી કરવામાં આવે.

ગુજરાતનું ઔદ્યોગિક શહેર સુરત તેના વિશ્વ વિખ્યાત કાપડ ઉદ્યોગ માટે સિલ્ક સિટી તરીકે જાણીતું છે. સુરત ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગનો એક મુખ્ય આધારસ્તંભ છેજે અર્થતંત્રને વેગ આપવા અને મોટાપાયે રોજગાર પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ છેત્યારે સુરત ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું ટેક્સટાઇલ ઉદ્યોગને લઇ મોટું નિવેદન સામે આવ્યું છે.

તેઓએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠમણાંને લઇ નિવેદન આપ્યું હતું. સી.આર.પાટીલે મંચ પરથી ઉદ્યોગપતિઓને જણાવ્યુ હતું કેઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીં તેવું ફોસ્ટા દ્વારા નક્કી કરવામાં આવે. જેના કારણે જે વેપારીઓને કાપડની જરૂર જણાશે તેઓ જ ખરીદશે. રોકડામાં કાપડનો માલ આપોપછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને ચાર ચાંદ લાગશેઅને ઉદ્યોગ બહુ જ આગળ વધશે તેવું સી.આર.પાટીલે જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.