સુરત : સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટમાં બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત ત્રણ આરોપીની ધરપકડ

સિનિયર સિટિઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા રૂપિયા 2.5 કરોડનો ફ્રોડ થયો હોવાનું જણાવી તેમને “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખવામાં આવ્યા હતા

New Update
  • સુરત સાયબર ક્રાઇમ સેલને મળી સફળતા

  • ડિજિટલ અરેસ્ટ ગેંગનો કર્યો પર્દાફાશ

  • ત્રણ આરોપીઓ ઝડપાયા

  • બાસ્કેટબોલ પ્લેયરની સંડોવણી

  • બેંક એકાઉન્ટ ભાડે લઈને આચરતા કૌભાંડ

સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે દેશમાં દહેશત મચાવનાર ડિજિટલ અરેસ્ટ ગેંગનો પર્દાફાશ કરતા અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સમગ્ર કૌભાંડમાં એક નેશનલ લેવલનો બાસ્કેટબોલ પ્લેયર પણ સામેલ છે,પોલીસે  હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના સિનિયર સિટિઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા રૂપિયા 2.5 કરોડનો ફ્રોડ થયો હોવાનું જણાવી તેમને ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખવામાં આવ્યા હતા.અને ભયના માહોલમાં આશરે 16.65 લાખ રૂપિયા તેમના ખાતાથી ટ્રાન્સફર કરાવાયા હતા. આ સમગ્ર કૌભાંડ બાદ સુરત સાયબર સેલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે,અને ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

જે આરોપીના નામ સામે આવ્યા છે,એમાંથી એક નામ ખાસ ધ્યાન ખેંચે છે અને તે છે પરમવીરસિંહજે એક નેશનલ લેવલનો બાસ્કેટબોલ પ્લેયર રહ્યો છે. તેણે દેશ માટે રમત રમવાની જગ્યાએ હવે સાયબર ફ્રોડનો રસ્તો અપનાવ્યો છે. પરમવીરસિંહે જે બેંક એકાઉન્ટ ભાડે લઇ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યા છેએ તમામ બેંક એકાઉન્ટ દેશભરમાં થયેલી 40 સાયબર ફ્રોડની ઘટનામાં વપરાયા છે.

પરમવીર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાનો ભારે ચાહક છે. તેણે તેના હાથ પર મૂસેવાલાનું 12 ઇંચ લાંબુ ટેટૂ બનાવ્યું છેજે તેની મુસેવાલા પ્રત્યેની દીવાનગી દર્શાવે છે.

આ ઘટનાની તપાસ દરમિયાન સુરત સાયબર સેલે ભાવનગરથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતીજેમાં પરમવીરસિંહપૂર્વ નેશનલ બાસ્કેટબોલ પ્લેયરકિશનકુમાર પટેલશેરબ્રોકરરાજુ પરમારબેંક એકાઉન્ટ ભાડે આપનારનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પરમવીર પાસે જુદી જુદી બેંકનાં 15 ડેબિટ કાર્ડ4 પાસબુક અને 11 ચેકબુક મળ્યાં છે. પરમવીરે પોતે કોઈ નોકરી કે ધંધો કરતો ન હોવા છતાં અલગ અલગ બેંક ખાતા મેળવી કૌભાંડ કર્યું હતું. રાજુ પરમારે પોતાનું બેંક ખાતું કિશન પટેલને ભાડે આપ્યું હતુંજેને બાદમાં પરમવીર સિંહના નામે ઓપરેટ કરાતું હતું.NCCRP પોર્ટલ પર આ ખાતા દ્વારા 40થી વધુ ફ્રોડ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.