સુરત : વેરાવળમાં ડો. અતુલ ચગના આપઘાત મામલે લોહાણા સમાજે કરી ન્યાયની માંગ...

વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગ આપઘાત મામલે સુરતમાં લોહાણા સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

New Update
સુરત : વેરાવળમાં ડો. અતુલ ચગના આપઘાત મામલે લોહાણા સમાજે કરી ન્યાયની માંગ...

વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગ આપઘાત મામલે સુરતમાં લોહાણા સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરત લોહાણા સમાજના આગેવાનો ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. શ્રી ઘોઘારી લોહાણા મહાજન સમાજની માંગ છે કે, લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ-સોમનાથ પંથકના ડો. અતુલ ચગને આપઘાત કરવા મજબુર સબંધે ડૉ. અતુલ ચગ પાસેથી મળેલી સુસાઈડ નોટમાં જવાબદાર તત્વોના નામ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઇ રહી નથી.

Advertisment

જેથી સમગ્ર લોહાણા સમાજ આક્રોશિત અને દુઃખી છે. આથી ડો. અતુલ ચગના આપઘાત પ્રકરણે સુરત સહીત સમગ્ર દક્ષિણ ગુજરાત લોહાણા સમાજની આક્રોશભરી લાગણી સાથેની માંગ છે કે, વેરાવળ પોલીસ દ્વારા તત્કાલ એફ.આર.આઈ. નોંધી સુસાઈડ નોટમાં દર્શાવેલ તત્વોની ધરપકડ કરી સમગ્ર પ્રકરણની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમ અથવા અન્ય તપાસ એન્જસીને સોપવામાં આવે. શ્રી ઘોઘારી લોહાણા સમાજનના પ્રમુખે જાણાવ્યું હતું કે, ડો. અતુલ ચગની સુસાઈડ નોટમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજેશ ચુડાસમાનું નામ આવ્યું છે, તો તેમની સામે કોઈ કાર્યવાહી થઇ નથી. હજુ સુધી કોઈ ધરપકડ થઇ નથી. જેથી આ મામલે કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી છે, અને ન્યાય નહી મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કારવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર  

Advertisment

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisment