Connect Gujarat
સુરત 

સુરત:વાવાઝોડાની અસરના પગલે 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા 23 ઝાડ પડ્યા,તંત્ર એલર્ટ મોડ પર

સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

X

સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

અરબ સાગરમાં સક્રિય બિપરજોય વાવાઝોડાને લઈ સુરત શહેરમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવનથી 23 વૃક્ષ ધરાશાયી થયા હતા. આગામી 4 દિવસ પવનની ઝડપ સાથે ઝાપટા પડી શકે છે. સુરત શહેરમાં કુલ 23 ઝાડ પડ્યા હતા, રાંદેર ઝોનમાં 7, કતારગામમાં 4, લિંબાયતમાં 2, વરાછામાં 4, સેન્ટ્રલમાં 2, ઉધનામાં 1 અને અઠવામાં 3 ઝાડ પડવાના કોલ મળતા ફાયરબ્રિગેડ દોડતું થયું હતું. હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ પવનની જે ગતિ નોંધાઇ હતી તે એકધારી નહીં, પરંતુ તૂટક તૂટક નોંધાતી હોવાથી ખાસ અસર થઈ નથી. આટલી ઝડપથી પવન ફૂંકાવવા છતાં ફ્લડ કંટ્રોલમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી. જો કે, શહેરમાં 23થી વધુ સ્થળોએ ઝાડ તૂટી પડતા વાહનોને નુકસાન થયું હતું.32 હોડી, 600 જેકેટ અને 74 ઝાડ કાપવાના મશીન તૈયાર રાખ્યા છે.15મી સુધી કોઈ રજા મંજૂર ન કરવા તાકીદ કરાઈ છે. જાહેરાતના જોખમી હોર્ડિંગ ઉતારી લેવા સૂચના અપાઈ છે. તમામ ઝોનમાં કંટ્રોલ રૂમને સંકલનમાં રહેવા આદેશ કરાયા છે. વીજકંપની, 18 ફાયર સ્ટેશન પર ટીમ સ્ટેન્ડ બાય રહશે.

Next Story