સુરત : ફોગવા દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને લખ્યો પત્ર,BISની અમલવારી મુલતવી રાખવા કરાઈ માંગ

ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે.

New Update
  • ટેક્સટાઈલ મશીન પર BISની અમલવારી સામે વિરોધ

  • કેન્દ્ર સરકાર 28મી ઓગસ્ટથી BIS લાગુ કરશે 

  • ફોગવા દ્વારા કરાયો વિરોધ

  • કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને લખ્યો પત્ર

  • માર્ચ 2017 સુધી BIS મુલતવી રાખવા કરાઈ માંગ 

Advertisment
2/38

સુરત ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે,અને કેન્દ્ર સરકાર જે BISની અમલવારીનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને હાલ પૂરતો મુલતવી રાખવા માટે માંગ કરવામાં આવી છે.

ભારત દ્વારા મેકિંગ ઇન્ડિયાનો પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુહજી પણ આધુનિક ટેકનોલોજી બાબતે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઈ શકાય એવા મશીનરીઓ દેશમાં મેન્યુફેક્ચરિંગ થતા નથી.

જેને કારણે હજી પણ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. જેને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા વર્તાઈ રહી છે.

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા હાલ ટેકસટાઇલ ઉદ્યોગનો સમગ્ર દેશની અંદર જે ગતિથી વિકાસ થઇ રહ્યો છે. તેનું મુખ્ય કારણ હાઈસ્પીડ અને આધુનિક ટેકનોલોજીના વિદેશથી આયાત થતા મશીન છે. વિદેશથી આયાત થતા આવા આધુનિક ટેક્નોલોજીના મશીન હજી સુધી આપણા દેશમાં કોઈપણ કંપની દ્વારા બનાવવામાં આવતા નથી.

અમુક સ્થાનિક ઉત્પાદકો દ્વારા આવા મશીનો બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુતેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આ જ કારણથી આપણે વિદેશી મશીન મંગાવવાની જરૂરિયાત ઉભી થાય છે. હાલમાં જો મશીનરી પર BISની અમલવારી કરવામાં આવશે તો ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનું રહેશે.

તેથી ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી ગિરિરાજસિંહને એક પત્ર લખ્યો છે અને BISની અમલવારી માર્ચ 2027 સુધી મુલતવી રાખવા માટેની માંગ કરવામાં આવી છે.

Read the Next Article

“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • નૂતન વર્ષના પ્રારંભે પોલીસે અનોખી હળવાશભરી ઉજવણી કરી

  • પોલીસ કમિશનરના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • 'હમ તો સાત રંગ હૈંગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરાય

  • વિવિધ ગીત થકી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

  • કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ મેગા ઑપરેશનની જાહેરાત કરી

Advertisment

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંગીતમય માહોલ ઊભો કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરી હતી. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ગીતો ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતજોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સરેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકો સેલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હેયે જહાં રંગી બનાયેંગેગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતુંજેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મુક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કેઆવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે.

સાથે જાહેરાત કરી હતી કેસુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. જેથી ફરિયાદી કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશન આવી શકે. જેમાં પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે તેવી પોલીસ કમિશનરે ખાતરી આપી હતી.