સુરત : ફોગવા દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને લખ્યો પત્ર,BISની અમલવારી મુલતવી રાખવા કરાઈ માંગ

ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે.

New Update
  • ટેક્સટાઈલ મશીન પરBISની અમલવારી સામે વિરોધ

  • કેન્દ્ર સરકાર 28મી ઓગસ્ટથીBIS લાગુ કરશે 

  • ફોગવા દ્વારા કરાયો વિરોધ

  • કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને લખ્યો પત્ર

  • માર્ચ 2017 સુધીBIS મુલતવી રાખવા કરાઈ માંગ

સુરત ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે,અને કેન્દ્ર સરકાર જેBISની અમલવારીનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને હાલ પૂરતો મુલતવી રાખવા માટે માંગ કરવામાં આવી છે.

ભારત દ્વારા મેકિંગ ઇન્ડિયાનો પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુહજી પણ આધુનિક ટેકનોલોજી બાબતે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઈ શકાય એવા મશીનરીઓ દેશમાં મેન્યુફેક્ચરિંગ થતા નથી.

જેને કારણે હજી પણ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પરBISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. જેને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા વર્તાઈ રહી છે.

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા હાલ ટેકસટાઇલ ઉદ્યોગનો સમગ્ર દેશની અંદર જે ગતિથી વિકાસ થઇ રહ્યો છે. તેનું મુખ્ય કારણ હાઈસ્પીડ અને આધુનિક ટેકનોલોજીના વિદેશથી આયાત થતા મશીન છે. વિદેશથી આયાત થતા આવા આધુનિક ટેક્નોલોજીના મશીન હજી સુધી આપણા દેશમાં કોઈપણ કંપની દ્વારા બનાવવામાં આવતા નથી.

અમુક સ્થાનિક ઉત્પાદકો દ્વારા આવા મશીનો બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુતેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આ જ કારણથી આપણે વિદેશી મશીન મંગાવવાની જરૂરિયાત ઉભી થાય છે. હાલમાં જો મશીનરી પરBISની અમલવારી કરવામાં આવશે તો ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનું રહેશે.

તેથી ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી ગિરિરાજસિંહને એક પત્ર લખ્યો છે અનેBISની અમલવારી માર્ચ 2027 સુધી મુલતવી રાખવા માટેની માંગ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.