સુરત : ફોગવા દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને લખ્યો પત્ર,BISની અમલવારી મુલતવી રાખવા કરાઈ માંગ

ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે.

New Update
  • ટેક્સટાઈલ મશીન પર BISની અમલવારી સામે વિરોધ

  • કેન્દ્ર સરકાર 28મી ઓગસ્ટથી BIS લાગુ કરશે 

  • ફોગવા દ્વારા કરાયો વિરોધ

  • કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને લખ્યો પત્ર

  • માર્ચ 2017 સુધી BIS મુલતવી રાખવા કરાઈ માંગ 

સુરત ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે,અને કેન્દ્ર સરકાર જે BISની અમલવારીનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને હાલ પૂરતો મુલતવી રાખવા માટે માંગ કરવામાં આવી છે.

ભારત દ્વારા મેકિંગ ઇન્ડિયાનો પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુહજી પણ આધુનિક ટેકનોલોજી બાબતે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઈ શકાય એવા મશીનરીઓ દેશમાં મેન્યુફેક્ચરિંગ થતા નથી.

જેને કારણે હજી પણ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. જેને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા વર્તાઈ રહી છે.

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા હાલ ટેકસટાઇલ ઉદ્યોગનો સમગ્ર દેશની અંદર જે ગતિથી વિકાસ થઇ રહ્યો છે. તેનું મુખ્ય કારણ હાઈસ્પીડ અને આધુનિક ટેકનોલોજીના વિદેશથી આયાત થતા મશીન છે. વિદેશથી આયાત થતા આવા આધુનિક ટેક્નોલોજીના મશીન હજી સુધી આપણા દેશમાં કોઈપણ કંપની દ્વારા બનાવવામાં આવતા નથી.

અમુક સ્થાનિક ઉત્પાદકો દ્વારા આવા મશીનો બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુતેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આ જ કારણથી આપણે વિદેશી મશીન મંગાવવાની જરૂરિયાત ઉભી થાય છે. હાલમાં જો મશીનરી પર BISની અમલવારી કરવામાં આવશે તો ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનું રહેશે.

તેથી ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી ગિરિરાજસિંહને એક પત્ર લખ્યો છે અને BISની અમલવારી માર્ચ 2027 સુધી મુલતવી રાખવા માટેની માંગ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.