સુરત : કાપડ માર્કેટમાં ડમી વેપારીને લાવી વિવર-વેપારીઓ સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની ધરપકડ...

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની હતી, ત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના હાથ ઝડપાયો

New Update

કાપડ માર્કેટમાં પડદા પાછળ રહીને કરાતી છેતરપિંડી

માસ્ટર માઈન્ડ તરીકે ભૂમિકા ભજવી ઉઠામણાનો મામલો

ડમી વેપારીને લાવીને વિવર-વેપારીઓ સાથે છેતરપિંડી

છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસે કરી ધરપકડ

આરોપીની ધરપકડ સાથે પોલીસ દ્વારા કડક કાર્યવાહી

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે પણ માર્કેટમાં ડમી વેપારીને લાવી વિવર તેમજ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેરને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છેઅને દેશ વિદેશમાં આ નામથી સુરત ઓળખાય છે. પરંતુ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની હતીત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના હાથ ઝડપાયો છે.

આ ઇસમનું નામ રમેશ ઉર્ફે સીતારામ હીશોરીયા છે. મેં 2024માં કોહીનુર મારકેટન્યુ આદર્શ માર્કેટ અને સ્વદેશી ટેક્સ્ટાઇલ માર્કેટમાં 53 કરોડ 80 લાખ રૂપિયાનું ઉઠામણું થયું હતુંઅને ઉઠામણાની ઘટનામાં પડદા પાછળની ભૂમિકા રમેશ ઉર્ફે સીતારામે ભજવી હતી. આ ઘટનામાં 13 વેપારી સાથે ઉઠામણું થયું હોવાનું સામે આવ્યું હતું.

જેમાં સ્વદેશી ટેક્સટાઇલ માર્કેટમાં વિનાયક ફેશનજય માતાજી સિલ્ક મિલન્યુ આદર્શ ટેક્સટાઇલ માર્કેટ અને ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ સહિત દુકાનો ખોલાવી અન્ય માર્કેટના 13 વેપારી પાસેથી માલની ખરીદી બાદ સીતારામ ઉર્ફે રમેશે પોતાના માણસોની દુકાન બંધ કરાવડાવી ઉઠામણું કરાવ્યુ હતું.

સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતોઅને પોલીસ દ્વારા અગાઉ રિશી શાહ અને તેની ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે રિશીની પૂછપરછમાં સામે આવ્યું હતું કેપડદા પાછળનો માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવનાર રઘુકુળ માર્કેટમાં સીતારામ નામે પેઢી ચલાવતા રમેશ ઉર્ફે સીતારામ છે.

સીતારામ કોઈ એક પેઢીમાં મોટાપાયે ધંધો કર્યા બાદ પોતાના પેદાઓને દુકાન બંધ કરાવી ભગાવી મુકતો હતોઅને ત્યારબાદ ઓછા પૈસામાં સમાધાન કરવાની વાત કરીને મોટો ખેલ પાડતો હતોત્યારે હવે આ મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સીતારામ ઉર્ફે રમેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.