સુરત : કાપોદ્રામાં નશેડીએ પરિવારના આધાર સ્તંભ યુવકને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર,લોકોમાં પોલીસ તંત્ર સામે આક્રોશ

સુરત કાપોદ્રામાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા,પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો

New Update
  • કાપોદ્રામાં અસામાજિક તત્વોનો આતંક

  • 17 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારીને કરી હત્યા

  • નશેડીને નશા માટે રૂપિયા ન આપતા કરી હત્યા

  • લોકોનો કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે જમાવડો

  • પોલીસ સ્ટેશન ખાતે પરિવારનો કલ્પાંત

  • કાપોદ્રા પોલીસે હત્યારાની કરી ધરપકડ

Advertisment

સુરત કાપોદ્રામાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા,પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો,અને એક રિક્ષા ચાલક પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે,ઘટના બાદ કાયદો વ્યવસ્થા કથળી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.અને સ્થનિકોએ પોલીસ મથકનો ઘેરાવો કરતા મામલો તંગ બન્યો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વના આતંકે યુવકનો જીવ લીધો છે.રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈને નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને મારીને હત્યા કરી હતી.જાણવા મળ્યા મુજબ નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા પરંતુ તેને આપવાનો ઈન્કાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેને આગળ જઈને રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું પરંતુ તેને ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. હાલ રિક્ષાચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવાઈ હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવું પડ્યું હતું. બાદમાં માંડ માંડ મોડી રાત્રે 2 વાગ્યે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

 

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment