સુરત : કાપોદ્રામાં નશેડીએ પરિવારના આધાર સ્તંભ યુવકને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર,લોકોમાં પોલીસ તંત્ર સામે આક્રોશ

સુરત કાપોદ્રામાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા,પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો

New Update
  • કાપોદ્રામાં અસામાજિક તત્વોનો આતંક

  • 17 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારીને કરી હત્યા

  • નશેડીને નશા માટે રૂપિયા ન આપતા કરી હત્યા

  • લોકોનો કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે જમાવડો

  • પોલીસ સ્ટેશન ખાતે પરિવારનો કલ્પાંત

  • કાપોદ્રા પોલીસે હત્યારાની કરી ધરપકડ

Advertisment

સુરત કાપોદ્રામાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા,પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો,અને એક રિક્ષા ચાલક પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે,ઘટના બાદ કાયદો વ્યવસ્થા કથળી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.અને સ્થનિકોએ પોલીસ મથકનો ઘેરાવો કરતા મામલો તંગ બન્યો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વના આતંકે યુવકનો જીવ લીધો છે.રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈને નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને મારીને હત્યા કરી હતી.જાણવા મળ્યા મુજબ નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા પરંતુ તેને આપવાનો ઈન્કાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેને આગળ જઈને રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું પરંતુ તેને ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. હાલ રિક્ષાચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવાઈ હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવું પડ્યું હતું. બાદમાં માંડ માંડ મોડી રાત્રે 2 વાગ્યે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

 

Advertisment
Read the Next Article

સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય 

Advertisment

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈને FIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથે FIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Advertisment