Connect Gujarat
સુરત 

સુરત : રાંદેરમાં ઘરકંકાસના લીધે પરિવારનો માળો વિખરાયો, મહિલાએ પુત્ર અને પુત્રીને ગળાફાંસો આપી પોતે આપઘાત કર્યો.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

સુરત : રાંદેરમાં ઘરકંકાસના લીધે પરિવારનો માળો વિખરાયો, મહિલાએ પુત્ર અને પુત્રીને ગળાફાંસો આપી પોતે આપઘાત કર્યો.
X

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુજરાત હાઉસિંગ કોલોનીમાં રહેતા રીટાદેવી નામની મહિલાએ તેની 11 વર્ષની પુત્રી અંશીતા ઉર્ફે પરી અને પાંચ વર્ષના પૂત્ર રોબર્ટને ઘરે ફાંસો આપી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાંદેરમાંથી સામૂહિત આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગત મુજબ નેપાળના કાઠમંડુના રહેવાસી મુન્ના પ્રસાદ યાદવ તેની પત્ની રીટાદેવી અને બે બાળકો સાથે એક વર્ષ પહેલા જ ગુજરાત હાઉસિંગ કોલોની ખાતે રહેવા આવ્યા હતા. પતિ મુન્ના યાદવ અને રીટાદેવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની નાની બાબતે તકરાર ચાલતી હતી અને મતભેદ થયા કરતા હતા. જોકે, રીટાદેવીએ થોડા દિવસો પહેલાં જ તેના પતિ મુન્ના યાદવ સામે 498ની ફરિયાદ પણ આપવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ બંને વચ્ચે ચાલી રહેલા ઘરકંકાસ વચ્ચે આજે રીટાદેવીએ પાંચ વર્ષના પુત્ર રોબર્ટ અને 11 વર્ષની પુત્રી આંશિકાને ગળેફાંસો આપી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Next Story