સુરત: રાંદેરના શ્રી રતનેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ,કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું કરાવી રહ્યા છે રસપાન

રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે દાંડી રોડ પર આવેલ વ્યવાસ વિહાર ખાતે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
સુરત: રાંદેરના શ્રી રતનેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ,કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું કરાવી રહ્યા છે રસપાન

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે દાંડી રોડ પર આવેલ વ્યવાસ વિહાર ખાતે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ઇલવાના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમયવાણીમાં રસપાન કરાવી રહ્યા છે

તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુવર્ણેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.અતિ પૌરાણિક આ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે. તાપી પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ કરાયેલો છે. ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો આગળ આવ્યા છે.૧૦૦ વર્ષ પૂર્વે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે પુનઃ એક વાર આ મંદિરના જીર્ણોદ્ધારની નેમ કરવામાં આવી છે. મંદિર નિર્માણના લાભાર્થે સુરતના દાંડી રોડ પર આવેલ વ્યાસ વિહાર ખાતે શ્રી રામ ચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વ્યાસપીઠ પરથી ઇલાવના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે

#Gujarat #CGNews #Surat #restoration #Sri Ratneshwar Mahadev temple #Rander #story #Sri Ram Charita Manas
Latest Stories
Read the Next Article

સુરત : રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથ...

સુરત : રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ બન્યું નવું નજરાણું…

સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું છે. સ્માર્ટ બસ ડેપોમાં Wi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે

New Update
  • સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે પ્રયાસ

  • સોલર સિટી સુરતમાં સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ કાર્યરત

  • સ્માર્ટ બસ સ્ટેશન સમગ્ર દેશમાં રોલ મોડેલ સાબિત થયું

  • દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું

  • સ્માર્ટ બસ ડેપોમાંWi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ

સોલર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને તેવો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરાયો છેત્યારે સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યંા છે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છેત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થાGIZ (ડેઉટસ્ચે ગેસેલ્સ્ચાફ્ટ ફુર ઇન્ટરનેશનલે જુસામેનરબેઇટના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથેWi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ અંગે કાર્યપાલક ઈજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કેસુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થાGIZના સહકારથી અમલમાં મુકાયો છે.

સ્વચ્છ સુરતસોલર સુરત અને સ્માર્ટ સિટી સુરત તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતેWi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજઉત્પાદન અને રૂ. 6.56 લાખની વીજબચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે. રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે.