સુરત : રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો, શતાબ્દી ટ્રેન ગાંધીનગર સુધી લંબાવાય...

શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

New Update
સુરત : રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો, શતાબ્દી ટ્રેન ગાંધીનગર સુધી લંબાવાય...

શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે, ત્યારે સુરત રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચેલી શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે કામ અર્થે જતાં લોકોને ટ્રેનની મુસાફરીમાં અમદાવાદ ઉતરી જવું પડતું હતું. ત્યારબાદ બાય રોડ ગાંધીનગર જવું પડતું હતું. જેના કારણે સમયના વ્યય સાથે મુસાફરીના થાકનો પણ સામનો કરવો પડતો હતો. મુંબઇ કે, દક્ષિણ ગુજરાતથી ગાંધીનગર કામ અર્થે જતાં લોકોની આ સમસ્યા અંગે સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરાય હતી. જેને પગલે સુરતના સાંસદ દર્શના જરદોશ હવે, જ્યારે કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી છે, ત્યારે આ રજૂઆતને ધ્યાનમાં રાખી શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે.

સુરત અને ગાંધીનગર રેલ્વે સ્ટેશન હાઈટેક બન્યા બાદ ટ્રેનના સ્ટોપેજ માટેની માંગ પણ વધી છે. તો બીજી તરફ મુંબઇથી અમદાવાદ સુધી જતી શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવા માટેની માંગણી પણ ઘણા સમયથી હતી, ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચેલી શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.