સુરત : કોરોનાની મહામારી વેળા જાહેરનામા ભંગની 30 હજાર અરજીઓ કોર્ટે ફગાવી દીધી

જાહેરનામા ભંગના ગુનાઓમાં કોર્ટનો મહત્વનો નિર્ણય, જાહેરનામુ બહાર પાડતા પહેલા કોર્ટની મંજુરી લેવાય ન હતી.

New Update
સુરત : કોરોનાની મહામારી વેળા જાહેરનામા ભંગની 30 હજાર અરજીઓ કોર્ટે ફગાવી દીધી

કોરોનાની મહામારીને રોકવા લોકો પોતાના ઘરોમાં જ રહે તે માટે જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં હતાં. એકલા સુરતમાં જ જાહેરનામા ભંગના 30 હજાર કરતાં વધારે કેસો કરવામાં આવ્યાં હતાં. આ કેસો સંદર્ભમાં કરવામાં આવેલી તમામ અરજીઓ કોર્ટે ફગાવી દીધી છે.

સુરતમાં કોરોના દરમિયાન જાહેરનામાનો ભંગના નોંધાયેલાં 30 હજાર કેસની અરજીઓને કોર્ટએ પ્રથમ સુનાવણીમાં જ ફગાવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરે કોર્ટની મંજૂરી ન લેતા કોર્ટેએ આ નિર્ણય લીધો છે. કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન, કરફયુ સહિતના પગલાંઓ ભરાયાં હતાં. લોકો પોતાના ઘરોમાં જ રહે તે માટે વિવિધ જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યાં હતાં.

સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરતમાં 30 હજાર કરતાં વધારે કેસો જાહેરનામા ભંગના નોંધાયાં હતાં. કોવીડની મહામારી દરમિયાન કલેકટર અને પોલીસ કમિશ્નર તરફથી જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં હતાં. આ જાહેરનામા બહાર પાડતાં પહેલાં કોર્ટની પરવાનગી લેવામાં આવી ન હોવાનું ન્યાયાધીશના ધ્યાને આવ્યું હતું. સુરત પોલીસે રજુ કરેલી 30 હજાર કરતાં વધારે અરજીઓમાં કાયદાની જોગવાઇનું પાલન કરાયું ન હોવાથી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ બાબતે વધુ જાણકારી જાણીતા વકીલ પિયુષ માંગુકીયાએ આપી હતી.

Read the Next Article

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

New Update
  • બનાવટી ચલણી નોટનો મામલો

  • આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો

  • ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ

  • ATSએ કરી એક શખ્સની ધરપકડ

  • કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATS500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.

Latest Stories