સુરત : આકરા તાપથી શ્રાવકોને રાહત આપતો જૈન સમાજનો પ્રયાસ, 1140 ફૂટ લાંબા માર્ગ પર મંડપ બંધાવી છાંયડો કર્યો...

શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપંથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો 1140 ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો

New Update
  • દીક્ષા મહોત્સવ-વર્ષીતપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન

  • આકરા તડકાથી લોકોને રાહત આપતો જૈન સમાજનો પ્રયાસ

  • શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થા

  • 1140 ફૂટ લાંબ માર્ગને કાપડથી ઢાંકી મંડપમાં રૂપાંતરિત કર્યો

  • જૈન સમાજ દ્વારા કરાયેલ પ્રશંસનીય ઉપક્રમની લોક સરાહના 

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે જૈન સમાજ દ્વારા ઉધના તેરાપંથ ભવનથી તરણકુંડ સુધી 1140 ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી મંડપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં હાલના દિવસોમાં ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છેત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગરમીથી બચવા અનોખો પ્રયાસ જોવા મળી રહ્યો છે. જૈન સમાજ દ્વારા એક અનોખો અને પ્રશંસનીય ઉપક્રમ કરવામાં આવ્યો છે. સમગ્ર રોડને મંડપ બાંધીને છાયા હેઠળ લાવવામાં આવ્યો છે.

ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપંથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો 1140 ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે. જૈન સમાજ દ્વારા આ વિશેષ વ્યવસ્થા તા. 24 એપ્રિલથી 2 મે2025 સુધી યોજાનારા મહાપર્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ સમયે 4 દીક્ષા મહોત્સવ સાથે વર્ષીતપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થાવકવાસી સંપ્રદાયના પ્રખર સંતઆચાર્ય શ્રી શિવમુનિ મહારાજની નિશ્રામાં યોજાવાના છે. સમાજના બહોળા સહયોગ અને સેવાભાવી કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારીથી આ સમગ્ર આયોજન નિર્વિઘ્ન કરવામાં આવ્યું છે.

રોડ પર છાંયડો કરવા માટે જ્યાં મંડપ બાંધવામાં આવ્યા છેત્યાં ગરમીમાંથી રાહત આપતા પંખાપીવાના પાણીની વ્યવસ્થાઆરામદાયક બેસવાની જગ્યા તેમજ સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેભારે તાપમાન વચ્ચે સામાન્ય લોકોને પણ આ વ્યવસ્થાનો લાભ મળી શકે તેમ છેજે જૈન ધર્મના કરુણા અને સેવા જેવા મૂળ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.