સુરત: કાપોદ્રા પોલીસે દિવ્યાંગોના ચહેરા પર રેલાવી ખુશી,પતંગ ઉડાડીને ઉત્તરાયણની કરી ઉજવણી

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • કાપોદ્રા પોલીસનો અનોખો પ્રયાસ

  • દિવ્યાંગ બાળકો સાથે ઉજવી ઉત્તરાયણ

  • પોલીસ મથકના ટેરેસ પર કરાયું આયોજન

  • બાળકોના ચહેરા પર ખુશી રેલાવવાનો કર્યો પ્રયાસ

  • વિવિધ સ્લોગન સાથેના પતંગ થકી લોકજાગૃતિનો પ્રયાસ

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્ય જોવા મળે છે.પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોડાયો હતો અને દિવ્યાંગોને ખુશીઓ વહેંચી હતી.

સુરત કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ દિવ્યાંગ બાળકો સાથે ઉતરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડીંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉતરાયણની ઉજવણી કરી હતી. આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા.

આ ઉતરાયણ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારમાં ચોરી અને છેડતી ના બનાનવો ન બને તે માટે પણ વોચ રાખવામાં આવી રહી છે. ટ્રાફિક સિગ્નલ સહિત ટ્રાફિક ના નિયમોનો ડ્રગ્સ ઇન સીટી સહિતના અલગ અલગ સ્લોગનો પતંગો પર લગાવીને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સાથે જ વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.