/connect-gujarat/media/post_banners/f77205cd2a1587a6ccc996a0c1d8538d6a969010bb442777753351556da84955.jpg)
દીવાળીનો તહેવાર ઉજવવા માટે વતનમાં જઇ રહેલાં લોકો ખાનગી લકઝરી બસના સંચાલકોના હાથે લુંટાય રહયાં છે. ખાનગી બસોના સંચાલકો મુસાફરોની ગરજનો લાભ ઉઠાવી બેફામ રીતે ભાડુ વસુલી રહયાં છે......
સુરત શહેરમાં દેશના વિવિધ રાજયોમાંથી લાખો લોકો રોજગારી માટે સ્થાયી થયાં છે. દિવાળીનો તહેવાર આવતાંની સાથે તેઓ પોતાના વતનમાં જતાં હોય છે. હાલ સુરતમાંથી લાખોની સંખ્યામાં લોકો વતનની વાટ પકડી રહયાં છે ત્યારે ખાનગી લકઝરી બસના સંચાલકો મુસાફરો પાસેથી ભાડાની બેફામ રીતે વસુલાત કરી રહયાં છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતથી રોજની 700 જેટલી ખાનગી લકઝરી બસો તો માત્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જાય છે. દીવાળીમાં મુસાફરોની ગરજનો લાભ ઉઠાવી ભાડા ડબલ કરી દેવાયાં છે જો કે બસ સંચાલકો ભાડામાં વધારા પાછળ ડીઝલના ભાવવધારાને જવાબદાર ગણાવી રહયાં છે. સુરતથી અમરેલી, રાજકોટ અને જુનાગઢની મુસાફરી મોંઘી બની છે. સુરતથી અમરેલી, રાજકોટ અને ભાવનગર જવા સ્લીપર કોચમાં એક સીટનો ભાવ એક હજાર રૂપિયાને પાર કરી ગયો છે. જ્યારે જૂનાગઢ જવાનો ભાવ 1200 રૂપિયાને પાર કરી ચુકયો છે. ખાનગી લકઝરી બસમાં સિંગલના એક સ્લીપરમાં બે વ્યક્તિ અને ડબલના સ્લીપરમાં 4 મુસાફરોને બેસાડાય રહયાં છે. ખાનગી લકઝરી બસ ઓપરેટરોની ઉપર કોઈનો અંકુશ નહિ હોવાથી ઉઘાડી લુંટ ચાલતી હોવાની ચર્ચા મુસાફરોમાં ચાલી રહી છે.