સુરત : સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલ 3 વર્ષીય બાળકની ભાળ મળી, બાળકને લઈ જતી મહિલા ભેસ્તાનથી ઝડપાય

સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ બાળકને શોધવા માટે પોલીસ દ્વારા 23 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. જેઓએ 1 હજાર જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા.

author-image
By Connect Gujarat
New Update

સુરત સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષીય બાળક ગુમ થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જે મામલે 1 હજાર જેટલાCCTV કેમેરા તપાસતા બાળકને લઈ જતી મહિલા ભેસ્તાન વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસે બાળકને મુક્ત કરાવી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ બાળકને શોધવા માટે પોલીસ દ્વારા 23 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. જેઓએ 1 હજાર જેટલાCCTV કેમેરા ચેક કર્યા હતા. એક એકCCTV ચેક કરીને આરોપી મહિલા અને તેના પતિ સુધી પહોંચ્યા હતાજ્યારે બાળકને લઈ જનાર મહિલા ભેસ્તાન આવાસ ખાતેથી મળી આવી હતી. આરોપી મહિલા પાનફુલ દેવી અને તેના પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ સાથે જ બાળકને પણ સહી સલામત રીતે મુક્ત કરવામાં સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કેઆરોપી ઇન્દ્રબલીને 2 પત્ની છેજેમાં પહેલી પત્ની પાનફુલ દેવી છેતેના થકી તેને સંતાનમાં એક દીકરી છેઅને 18 વર્ષનો લગ્ન ગાળો થયો હોવા છતાં દીકરો ન હોયજેથી પાનફુલ દેવીએ તેના પતિના 4 માસ પહેલા સંગીતા દેવી સાથે બીજા લગ્ન કરાવ્યા હતા. ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી સંતાનમાં 5 વર્ષનો એક દીકરો છેજે દીકરો બીમાર પડતાં તેને પતિ-પત્ની અને બીજી પત્નીએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યો હતો. આ દરમિયાન 3 વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનફુલ દેવીની તેની ઉપર નજર પડી હતીઅને તેને પુત્ર પ્રેમની લાલચમાં દાનત બગાડી બાળકને લલચાવી ફોસલાવીને અપહરણ કરી પોતાના ઘરે લઈ ગઈ હતી. પોલીસને આરોપીના ઘરમાંથી અન્ય બાળકો પણ મળી આવ્યા છે. જેથી તેમનાDNA ટેસ્ટ કરાવવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આરોપીઓને દીકરો ન હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યા છે. જોકેપોલીસે હ્યુમન ટ્રાફિકિંગની દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે. બાળકને સહી સલામત પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવતા બાળકની માતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પુત્ર મળી જતા જીવમાં જીવ આવ્યો હોવાનું માતાએ જણાવ્યું હતું.

Read the Next Article

સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

New Update
  • ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ

  • ઝાડા ,ઉલટીતાવ સહિતના દર્દીઓમાં વધારો

  • મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો

  • આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી

  • સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ  દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.