સુરત : પાર્સલ સેવાની દિશામાં નવતર પ્રયોગ, રેલ્વે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવાનું બુકિંગ શરૂ કરાયું...

ભારત પોસ્ટ અને ભારતીય રેલ્વેના સંયુક્ત ઉપક્રમે પાર્સલ સેવા શરૂ કરવાની દિશામાં પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

New Update
સુરત : પાર્સલ સેવાની દિશામાં નવતર પ્રયોગ, રેલ્વે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવાનું બુકિંગ શરૂ કરાયું...

ભારત પોસ્ટ અને ભારતીય રેલ્વેના સંયુક્ત ઉપક્રમે પાર્સલ સેવા શરૂ કરવાની દિશામાં પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રેલ્વે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ પાર્સલ સેવા શરૂ કરવાની તડામાર તૈયારીઓ સુરત રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ પાર્સલ સેવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરતથી વારાણસીના પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જે ટ્રેન નક્કી કરવામાં આવશે, તેમાં એકત્રિત કરાયેલા પાર્સલોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે માટે સુરત રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસની ઓફિસ અને ગોડાઉન તૈયાર કરવામાં આવી રહ્યું છે. શહેરભરમાંથી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સુરત સ્ટેશન સુધી પાર્સલ પહોંચાડશે અને ત્યારબાદ ગોડાઉનમાં જ તમામ પાર્સલોને સીલ મારવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ સેવા અંતર્ગત કેટલીક ટ્રેનોને પસંદ કરવામાં આવી છે. તે ટ્રેનોમાં અંદાજિત 150થી 200 કિલો વજનના પાર્સલ તૈયાર કરવામાં આવશે. જોકે, મોટા વજનના પાર્સલોને ટ્રેનના કોચ સુધી પહોંચાડવા માટે ફોરક્લિપ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે ફોરક્લિપ મશીનના ઉપયોગ માટેની ટ્રાયલ પણ સુરત રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરી દેવામાં આવી છે.

#Connect Gujarat #BeyondJustNews #Surat #parcel #new experiment #booking #direction #parcel service #Railway Post #Gatishakti Express service
Latest Stories
Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,...

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.