સુરત : વિજ્યાદશમીના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શસ્ત્રપૂજન યોજાયું…

સુરત શહેરના અઠવાલાઇન વિસ્તાર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

New Update

વિજ્યાદશમીના પાવન પર્વનો રહ્યો અનેરો મહિમા

પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા વિશેષ ઉપસ્થિત

અત્યાધુનિક રાઇફલ-ગન હર્ષ સંઘવીએ માહિતી મેળવી

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિ

આજરોજ વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના અત્યાધુનિક હથિયારની પૂજા થકી શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને પ્રજાજનોની સુરક્ષા માટે અતિ મહત્વના ગણાતા એવા શસ્ત્રોનું વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છેત્યારે સુરત શહેરના અઠવાલાઇન વિસ્તાર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

શસ્ત્રપૂજા બાદ પોલીસની અત્યાધુનિક રાઇફલ-ગન હર્ષ સંઘવીએ હાથમાં લીધી હતી. હથિયારની ક્ષમતા અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પાસેથી માહિતી મેળવી હતી. વિજ્યાદશમીના દિવસે શસ્ત્રપૂજામાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોતઉચ્ચ પોલીસ અધિકારી પણ હાજર રહ્યા હતા. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ નાગરિકોને વિજ્યાદશમીના પાવન પર્વનિ શુભેચ્છાઓ પાઠવી હતી.

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.