સુરત : માતા-પિતાએ બાળકને એકલું ન મુકવું જોઈએ.!, પહેલા માળેથી નીચે પટકાતા બાળકનું મોત...

વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી રમતા રમતા પટકાતા દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.

New Update
સુરત : માતા-પિતાએ બાળકને એકલું ન મુકવું જોઈએ.!, પહેલા માળેથી નીચે પટકાતા બાળકનું મોત...

સુરતમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી રમતા રમતા પટકાતા દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. માતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી, આ દરમિયાન બાળક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Advertisment

સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશ જબલપુરના વતની શંકર લોધી લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શંકર લોધીનો દોઢ વર્ષનો પુત્ર મયંક લોધી ઘરના પહેલા માળે ગેલેરીમાં રમી રહ્યો હતો, જયારે માતા રજનિદેવી ઘરમાં રસોઈ બનાવી રહી હતી. આ દરમ્યાન બાળક અચાનક જ પહેલા માળેથી રમતા રમતા નીચે પટકાઈ ગયો હતો. ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બાળકના માતાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈ પલસાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓથી વાલીઓએ ચેતી જવું જરૂરી છે. માતા-પિતાએ પણ નાના બાળકને ઘરમાં એકલું મુકવું જોઇએ નહિ.

Advertisment
Latest Stories