સુરત : સામૂહિક આપઘાતની ઘટનામાં પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધીને ત્રણ આરોપીઓની કરી ધરપકડ

સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી

New Update
  • શશાંગિયા પરિવારે કરેલ સામુહિક આપઘાત મામલો

  • પોલીસે સુસાઈડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

  • મૃતક પરિવારે પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચ્યો હતો

  • મકાનના સોદામાં ટોકન પેટે સંજય પટેલે 1 લાખ આપ્યા હતા

  • મકાનની લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો

  • ટોકનના રૂપિયા પરત માંગી શશાંગીયા પરિવારને કરાતો હતો ટોર્ચર 

સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે.માતા-પિતા અને પુત્રના સામુહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે પોલીસે મકાન વેચાણના ટોકનના રૂપિયા 1 લાખની ઉઘરાણી કરી આપઘાત માટે મજબુર કરનાર રત્નકલાકાર પિતા-પુત્ર અને દલાલ સહિત ત્રણની ધરપકડ કરી છે.

સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં સી/2 બિલ્ડિંગમાં રહેતા 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ શશાંગીયા તેમના પત્ની વનિતાબેન ઉં.વ.52 અને પુત્ર હર્ષ ઉં.વ. 24ના એ સામુહિક આપઘાત કરી લીધો હતો,ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઈ હતી.હીરામાં મંદીને પગલે નોકરી છૂટી જતા ભરત વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઈનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

છેલ્લા પાંચ મહિનાથી આર્થિક સંકડામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા 22 લાખમાં હિતેશ સંજય પટેલને વેચવા કાઢ્યો હતોજેમાં દલાલ રાજુ આંબલિયા મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતાપરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હપ્તા ચઢી ગયા છે. જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા એક લાખ પરત આપવા માંગણી કરી હતી.

ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશતેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી હતી. ત્રિપુટીએ સતત ટોર્ચર કરતા શશાંગીયા પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો.

ઉપરાંત ટોકન પેટેની એક લાખની રકમ 8 માર્ચના રોજ ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા7 માર્ચને શુક્રવારે રાત્રે ઘરમાં ભરતભાઈ તથા પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે ઝેર ગટગટાવી લીધું હતું. ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું શુક્રવારે મોડી રાતે મોત થયું હતું.

અમરોલી પોલીસને તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતીજેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનારા હિતેશસંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

અમરોલી પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને ખાનગી કંપનીમાં નોકરી કરતાં હિતેશ સંજયભાઈ પટેલ અને રત્નકલાકાર તરીકે કામ કરતા તેના પિતા સંજય મફતલાલ પટેલ તેમજ મકાન દલાલ રાજુ હરજીભાઇ આંબલિયાની ધરપકડ કરી હતી. આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

Read the Next Article

“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • નૂતન વર્ષના પ્રારંભે પોલીસે અનોખી હળવાશભરી ઉજવણી કરી

  • પોલીસ કમિશનરના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • 'હમ તો સાત રંગ હૈંગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરાય

  • વિવિધ ગીત થકી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

  • કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ મેગા ઑપરેશનની જાહેરાત કરી

Advertisment
1/38

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંગીતમય માહોલ ઊભો કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરી હતી. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ગીતો ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતજોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સરેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકો સેલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હેયે જહાં રંગી બનાયેંગેગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતુંજેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મુક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કેઆવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે.

સાથે જાહેરાત કરી હતી કેસુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. જેથી ફરિયાદી કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશન આવી શકે. જેમાં પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે તેવી પોલીસ કમિશનરે ખાતરી આપી હતી.

Latest Stories