સુરત : સામૂહિક આપઘાતની ઘટનામાં પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધીને ત્રણ આરોપીઓની કરી ધરપકડ

સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી

New Update
  • શશાંગિયા પરિવારે કરેલ સામુહિક આપઘાત મામલો

  • પોલીસે સુસાઈડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

  • મૃતક પરિવારે પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચ્યો હતો

  • મકાનના સોદામાં ટોકન પેટે સંજય પટેલે 1 લાખ આપ્યા હતા

  • મકાનની લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો

  • ટોકનના રૂપિયા પરત માંગી શશાંગીયા પરિવારને કરાતો હતો ટોર્ચર 

સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે.માતા-પિતા અને પુત્રના સામુહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે પોલીસે મકાન વેચાણના ટોકનના રૂપિયા 1 લાખની ઉઘરાણી કરી આપઘાત માટે મજબુર કરનાર રત્નકલાકાર પિતા-પુત્ર અને દલાલ સહિત ત્રણની ધરપકડ કરી છે.

સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં સી/2 બિલ્ડિંગમાં રહેતા 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ શશાંગીયા તેમના પત્ની વનિતાબેન ઉં.વ.52 અને પુત્ર હર્ષ ઉં.વ. 24ના એ સામુહિક આપઘાત કરી લીધો હતો,ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઈ હતી.હીરામાં મંદીને પગલે નોકરી છૂટી જતા ભરત વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઈનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

છેલ્લા પાંચ મહિનાથી આર્થિક સંકડામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા 22 લાખમાં હિતેશ સંજય પટેલને વેચવા કાઢ્યો હતોજેમાં દલાલ રાજુ આંબલિયા મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતાપરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હપ્તા ચઢી ગયા છે. જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા એક લાખ પરત આપવા માંગણી કરી હતી.

ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશતેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી હતી. ત્રિપુટીએ સતત ટોર્ચર કરતા શશાંગીયા પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો.

ઉપરાંત ટોકન પેટેની એક લાખની રકમ 8 માર્ચના રોજ ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા7 માર્ચને શુક્રવારે રાત્રે ઘરમાં ભરતભાઈ તથા પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે ઝેર ગટગટાવી લીધું હતું. ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું શુક્રવારે મોડી રાતે મોત થયું હતું.

અમરોલી પોલીસને તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતીજેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનારા હિતેશસંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

અમરોલી પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને ખાનગી કંપનીમાં નોકરી કરતાં હિતેશ સંજયભાઈ પટેલ અને રત્નકલાકાર તરીકે કામ કરતા તેના પિતા સંજય મફતલાલ પટેલ તેમજ મકાન દલાલ રાજુ હરજીભાઇ આંબલિયાની ધરપકડ કરી હતી. આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

Read the Next Article

સુરત : 23 વર્ષીય મોડેલ યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ઘ, માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસને આશંકા

સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છે, ત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

New Update
  • શહેરમાં વધુ એક 23 વર્ષીય મોડેલ યુવતીનો આપઘાત

  • યુવતીએ પંખે લટકી આપઘાત કરતાં પરિવાર સ્તબ્ઘ

  • માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા

  • યુવતીએ કોઈ સુસાઇડ નોટ લખી નથી : સુરત પોલીસ

  • અઠવા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વધુ તપાસ

સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છેત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં કારકિર્દી નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર 23 વર્ષની વયે મોડેલ યુવતીએ પંખે લટકી આપઘાત કરી લેતાં પરિવાર સ્તબ્ઘ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસારશહેરના નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતાએક ભાઈ અને એક બહેન છે. પિતા અલ્પેશભાઈ વરમોરા GEBની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું અઢી વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી માતાએ ઉઠાવી છે. માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે. 2 વર્ષ પહેલાં અંજલિની સગાઈ કરવામાં આવી હતી.

અંજલિએ એક વર્ષ પહેલાં જ મોડેલિંગની દુનિયામાં પગ મુક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતીજ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતીઅને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતીએમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. જોકેઆપઘાતનું પગલું ભરનાર અંજલિ દ્વારા કોઈ સુસાઇડ નોટ પણ લખવામાં આવી નથીજેને લઈને પોલીસે હવે અંજલિના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકેઆ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.