સુરત : વ્યાજની રકમથી બનેલી મિલકતો જપ્ત કરાશે, વટ પાડવા લીધેલાં ગન લાઇસન્સ પણ રદ્દ થશે : હર્ષ સંઘવી

અત્યાર સુધીમાં હજારો લોકો જે પોતાનું સોનું, ઘર કે માતાના મંગળસૂત્ર જેવી કિંમતી વસ્તુઓ ગીરવે રાખી દેવા મજબૂર બન્યા હતા. આવા નાગરિકોને ન્યાય મળ્યો: હર્ષ સંઘવી

New Update
  • ગુજરાત પોલીસ દ્વારા હવે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી

  • વ્યાજખોરો વિરુદ્ધ ગાંધીધામ પોલીસ દ્વારા કાર્યવાહી

  • વટ પાડવા બંદૂકનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી

  • બંદૂકના આપવામાં આવેલા લાઇસન્સ પણ રદ્દ કરાશે

  • સમગ્ર ગુજરાતમાં કાયદાનો સંકંજો કસાશે : હર્ષ સંઘવી

સુરત શહેરના ડુમસ વિસ્તારમાં નિર્માણ પામેલ નવા રોડના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામમાં વ્યાજખોરો વિરુદ્ધ થયેલી કાર્યવાહી તેમજ વટ પાડવા બંદૂકનો ઉપયોગ કરનાર લોકોના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.

સમગ્ર ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીની પેરવીમાં છેત્યારે સુરત શહેરના ડુમસ વિસ્તારમાં નિર્માણ પામેલ નવા રોડના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરો સામે સૌથી મોટું સ્ટ્રાઈક ઓપરેશન હાથ ધર્યું છે અત્યાર સુધીમાં હજારો લોકો જે પોતાનું સોનુંઘર કે માતાના મંગળસૂત્ર જેવી કિંમતી વસ્તુઓ ગીરવે રાખી દેવા મજબૂર બન્યા હતા. આવા નાગરિકોને ન્યાય મળ્યો છેઅને તેમની મિલ્કત પાછી અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં લીધા છે.

દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું થયુ હશે કેવ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાયગુના પછી ગુજસીટોક કરવામાં આવેસાથેસાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવેઅને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કેકોઈપણ યોગ્ય કારણ વગર હથિયાર લાઇસન્સ મેળવી માત્ર પ્રભાવ બતાવવા કેસોશિયલ મીડિયા પર રીલ્સ અને વીડિયો દ્વારા વટ પાડવા માટે તેનો ઉપયોગ કરતાં હોય તેવા લોકોના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈસ્કોન મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરાયું…

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે, ત્યારે નવરાત્રિના પહેલા નોરતે તેઓએ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.

New Update
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યના પ્રવાસે

  • પહેલા નોરતે અમિત શાહ સુરત શહેરના મહેમાન બન્યા

  • ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં તેઓએ હાજરી આપી

  • આ મંદિર સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે : અમિત શાહ

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પણ ઉપસ્થિતી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છેત્યારે નવરાત્રિના પહેલા નોરતે તેઓએ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા. તેમની સાથે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે પધાર્યા છેતેઓ ગત તા. 21 રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતાજ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીશિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાવન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલસાંસદ મુકેશ દલાલસ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે તેઓ રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેઓ સુરત શહેરના એન્થમ સર્કલ નજીક આવેલ ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.

અમિત શાહે ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઇસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કેઆ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીંપરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે. તેમની સાથે ઉપસ્થિત કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવી સૌનો આભાર માન્યો હતો. સુરત બાદ અમિત શાહ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે. જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેતાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ તુરંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસે રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે.

Latest Stories