સુરત:સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું,મનપાની ટીમે કરી કાર્યવાહી

સુમુલ ડેરીના ડુપ્લીકેટ ઘીના ડબ્બા સ્ટોરમાંથી મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.આ રેડમાં પ્રાઈમ સ્ટોરમાંથી એક કિલોના પેકિંગમાં 71 ઘીના ડબ્બા મળી આવ્યા

New Update

સુરતમાં તહેવાર સમયે બનાવટી ખાદ્ય પદાર્થની બોલબાલા

મનપાના ફૂડ વિભાગે કરી કાર્યવાહી

વરાછામાંથી સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું

કિલોના ડબ્બાના પેકિંગમાં વેચાતું હતું ઘી

ફૂડ વિભાગે 71 ઘીના ડબ્બા કર્યા જપ્ત

સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું,અને 71 જેટલા ઘીના ડબ્બા જપ્ત કરી કાર્યવાહી કરી હતી.
સુરત શહેરમાં તહેવારોના સમયમાં અખાદ્ય વસ્તુઓ સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે,ફૂડ વિભાગે ફરસાણના વેપારીઓના ત્યાં રેડ બાદ ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી.જેમાં ફૂડ વિભાગની ટીમે વરાછાના અંકુર ચાર રસ્તા પાસે આવેલ પ્રાઈમ સ્ટોરમાં રેડ કરી હતી.
અને સુમુલ ડેરીના ડુપ્લીકેટ ઘીના ડબ્બા સ્ટોરમાંથી મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.આ રેડમાં પ્રાઈમ સ્ટોરમાંથી એક કિલોના પેકિંગમાં 71 ઘીના ડબ્બા મળી આવ્યા હતા.જે ફૂડ વિભાગે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.