સુરત: વિઘ્નહર્તા દેવની અર્ધવિસર્જિત  મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરતા સેવાભાવી યુવાનો

સુરતમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવાય ગયો હતો,પરંતુ શ્રીજીના ભક્તોએ વિઘ્નહર્તાના વિસર્જનમાં દાખવેલી ભક્તિએ ભારે દુર્દશા કરી હતી

New Update

સુરત વિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન 

ભક્તોએ ભક્તિ કરી પણ ધર્મની ગરિમા જાળવી ન શક્યા 

ગણેશજીની મૂર્તિના વિસર્જન બાદ દુર્દશા 

સેવાભાવી યુવાનોએ ભક્તોની ભૂલ સુધારી 

2500 POPની પ્રતિમાઓનું દરિયામાં પુનઃ વિસર્જન કર્યું 

સુરતમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવાય ગયો હતો,પરંતુ શ્રીજીના ભક્તોએ વિઘ્નહર્તાના વિસર્જનમાં દાખવેલી ભક્તિએ ભારે દુર્દશા કરી હતી,અને નહેર નાળાઓમાં કરવામાં આવેલી ગણેશજીની અર્ધવિસર્જિત પ્રતિમાઓને જાગૃત અને સેવાભાવી યુવાનોએ સુરક્ષિત રીતે પુનઃ વિસર્જન કરીને ધર્મની ગરિમાને જાળવી હતી. 
સુરતમાં ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી,અને ભક્તોએ ભાવુકતા સાથે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય પણ આપી હતી,વહીવટી તંત્ર દ્વારા વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી,પરંતુ તેમ છતાં કેટલીક જગ્યાઓ પર ગણેશજીની મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું નહોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, ગણેશોત્સવમાં તંત્ર દ્વારા સૌને માટીના ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો,અને માટીની મૂર્તિ ખૂબ જ સરળતાથી પાણીમાં ઓગળી જવાના કારણે ધર્મની ગરિમા પણ જળવાય છે,જોકે તેમ છતાં કેટલાક ભક્તો દ્વારા POPની પ્રતિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું,અને જે મૂર્તિઓનું યોગ્ય વિસર્જન પણ થઇ શક્યું ન હતુ.આ અંગે  સુરતના ઉધના ખાતેની સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલના 200 થી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પરવટ પાટીયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 2500 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.સાંસ્કૃતિક રક્ષા સમિતિનાં અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે, અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવીસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની હજારો POP ની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને POPની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચાલવી રહ્યા છે. 
Read the Next Article

સુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ

સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. 

New Update
  • એસ.પી.ડાયમંડમાં 23.45 લાખની થઈ હતી ચોરી

  • રફ હીરાની ચોરી કરી ચોર થયા હતા ફરાર

  • ઓફિસના ટેબલમાંથી ચોરોએ કરી હતી ચોરી

  • પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપી ઝડપાયા

  • પોલીસે 23.45 લાખનો મુદ્દામાલ પણ કર્યો જપ્ત

સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. 

સુરતના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે સેન્ટ પાર્કમાં રહેતા પરેશ ચીનુભાઈ ઝવેરી કતારગામમાં હીરાનું કારખાનાનું ચલાવે છે.15મી જુને રવિવારની રજા હોવાથી તેઓ કારખાનું બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે મહિલા સફાઈ માટે કારખાને ગઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી. આથી તેઓએ માલિકને ચોરી અંગે જાણ કરી હતી.

ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં ચોરો કારખાનામાં 16મી તારીખે બે થી અઢી વાગ્યાના અરસામાં પાર્કિંગમાંથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનું લોક નકલી ચાવીથી કે પછી અન્ય કોઈ રીતે ખોલી ઓફિસમાં ટેબલના ડ્રોઅરના લોક ખોલી તેમાંથી રફ હીરા અલગ અલગ કેરેટના મળી 23.45 લાખના ચોરી કરી હતી. ચોરીમાં કતારગામ પોલીસે કારખાનામાં અગાઉ કામ કરતા જીતુ ચૌધરી અને તેના મિત્ર મેહુલ ચૌધરી તેમજ યોગેશ ચૌધરીને બનાસકાંઠા ખાતેથી દબોચી લીધા છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.