સુરત : શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ સહિત લોક ડાયરો યોજાયો...

સુરત શહેરમાં શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આહીર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ સહિત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • આહીર સમાજ દ્વારા શૈક્ષણિક ભવનનું ભવ્ય નિર્માણ કરાશે

  • શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • સ્નેહમિલન સમારોહ સહિત ભવ્ય લોક ડાયરાનું આયોજન

  • કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડાની ઉપસ્થિતી

  • વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ભવન આશીર્વાદરૂપ સાબિત થશે

Advertisment

સુરતમાં શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન સમારોહ સહિત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરમાં શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આહીર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ સહિત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ સમારોહ પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. GPSC-UPSC અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક ભવન આશીર્વાદરૂપ સાબિત થશે.

આ શૈક્ષણિક ભવનમાં વાંચનાલયઓડિટોરિયમ હોલકોર્પોરેટ ઓફિસ, કોન્ફરન્સ અને વર્ગખંડ તૈયાર કરવામાં આવશે. સુરતમાં આ શૈક્ષણિક ભવનનો પાયો નખાયા બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ તેનો વ્યાપ વધારવા આહિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મુળું બેરાજામનગરના સાંસદ પૂનમ માડમસદભાવના હોસ્પિટલ-મહુવાના ચેરમેન કનુભાઈ કલસરિયા તેમજ લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories