સુરત : કતારગામ ઝોનમાં કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્કેટિંગ રિંક બન્યું ખંડેર,અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

સુરતના કતારગામમાં કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવ્યું હતું,પરંતુ વર્ષ 2019થી એટલે કે છ વર્ષથી સ્કેટિંગ રિંકના ખસ્તાહાલ થઇ ગયા છે..

New Update
  • કતારગામ ઝોનમાં આવેલ સ્કેટિંગ રિંકની હાલત દયનીય

  • કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંક બની ખંડેર

  • વર્ષ 2005માં બનાવેલ સ્કેટિંગ રિંક ધૂળ હાલતમાં

  • કોરોના કાળમાં સ્કેટિંગ રિંક બંધ કરવામાં આવી હતી

  • સ્કેટિંગ રિંક અસામાજિક તત્વોનો બન્યો અડ્ડો 

  • સ્થાનિકોની પુનઃ સ્કેટિંગ રિંક શરૂ કરવા માંગ

સુરતના કતારગામમાં કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવ્યું હતું,પરંતુ વર્ષ 2019થી એટલે કે છ વર્ષથી સ્કેટિંગ રિંકના ખસ્તાહાલ થઇ ગયા છે,અને આ જગ્યા પર અસામાજિક પ્રવૃતિઓએ સ્થાન લીધુ છે.જેના કારણે પણ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત વિકાસની હરણફાળ ભરતું શહેર છે,ડાયમંડ નગરીનું ઉપનામ મેળવનાર સુરતમાં લગભગ લોકોની સુખ સુવિધામાં કોઈ ઉણપ નહીં હોય!,પરંતુ ક્યાંક વહીવટી તંત્ર સુવિધાઓ ઉભી કર્યા બાદ તેની જાળવણીમાં કમજોર રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,સુરતના કતારગામમાં રમતવીરોની પ્રતિભાને બહાર લાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્કેટિંગ  રિંક બનાવવામાં આવી હતી.

જોકે વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલ સ્કેટિંગ રિંક સમય પસાર થયા બાદ વર્ષ 2019માં બંધ કરવામાં આવી હતી,જેના કારણે છેલ્લા છ વર્ષથી સ્કેટિંગ રિંક ખંડેર સમાન બની ગઈ છે.અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે,આ જગ્યાનો ઉપયોગ  લોકો શરાબ પીવા સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે કરતા હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,અને સ્કેટિંગ રિંકને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.