સુરત : કતારગામ ઝોનમાં કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્કેટિંગ રિંક બન્યું ખંડેર,અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

સુરતના કતારગામમાં કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવ્યું હતું,પરંતુ વર્ષ 2019થી એટલે કે છ વર્ષથી સ્કેટિંગ રિંકના ખસ્તાહાલ થઇ ગયા છે..

New Update
  • કતારગામ ઝોનમાં આવેલ સ્કેટિંગ રિંકની હાલત દયનીય

  • કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંક બની ખંડેર

  • વર્ષ 2005માં બનાવેલ સ્કેટિંગ રિંક ધૂળ હાલતમાં

  • કોરોના કાળમાં સ્કેટિંગ રિંક બંધ કરવામાં આવી હતી

  • સ્કેટિંગ રિંક અસામાજિક તત્વોનો બન્યો અડ્ડો 

  • સ્થાનિકોની પુનઃ સ્કેટિંગ રિંક શરૂ કરવા માંગ

સુરતના કતારગામમાં કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવ્યું હતું,પરંતુ વર્ષ 2019થી એટલે કે છ વર્ષથી સ્કેટિંગ રિંકના ખસ્તાહાલ થઇ ગયા છે,અને આ જગ્યા પર અસામાજિક પ્રવૃતિઓએ સ્થાન લીધુ છે.જેના કારણે પણ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત વિકાસની હરણફાળ ભરતું શહેર છે,ડાયમંડ નગરીનું ઉપનામ મેળવનાર સુરતમાં લગભગ લોકોની સુખ સુવિધામાં કોઈ ઉણપ નહીં હોય!,પરંતુ ક્યાંક વહીવટી તંત્ર સુવિધાઓ ઉભી કર્યા બાદ તેની જાળવણીમાં કમજોર રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,સુરતના કતારગામમાં રમતવીરોની પ્રતિભાને બહાર લાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્કેટિંગ  રિંક બનાવવામાં આવી હતી.

જોકે વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલ સ્કેટિંગ રિંક સમય પસાર થયા બાદ વર્ષ 2019માં બંધ કરવામાં આવી હતી,જેના કારણે છેલ્લા છ વર્ષથી સ્કેટિંગ રિંક ખંડેર સમાન બની ગઈ છે.અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે,આ જગ્યાનો ઉપયોગ  લોકો શરાબ પીવા સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે કરતા હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,અને સ્કેટિંગ રિંકને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.