સુરત : રાજ્ય સરકાર દ્વારા માધવપુરના મેળાનું પાંચ દિવસ આયોજન, કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની કરાશે પ્રસ્તુતિ

માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • માધવરાયજી મંદિરે યોજાય છે મેળો

  • ચૈત્ર સુદ નોમથી યોજાય છે લોકમેળો

  • રાજ્ય સરકાર દ્વારા આયોજન

  • પાંચ જિલ્લામાં લોકમેળો યોજાશે

  • સુરતમાં 400 કલાકરો લોકનૃત્યની કરશે પ્રસ્તુતિ   

Advertisment

પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળા નું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોરબંદર ઉપરાંત સુરતવડોદરા,અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે,જે અંતર્ગત સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એપ્રિલ 2025ના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઉત્તરપૂર્વીય રાજ્યના 200 કલાકારો તેમજ ગુજરાતના 200 કલાકારો દ્વારા લોક નૃત્ય અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે.એક એપ્રિલના રોજ સુરતના લોકોને આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે,જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે,આ ઉપરાંત સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 400 કલાકારોના નિવાસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertisment
Latest Stories