સુરત : રાજ્ય સરકાર દ્વારા માધવપુરના મેળાનું પાંચ દિવસ આયોજન, કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની કરાશે પ્રસ્તુતિ

માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • માધવરાયજી મંદિરે યોજાય છે મેળો

  • ચૈત્ર સુદ નોમથી યોજાય છે લોકમેળો

  • રાજ્ય સરકાર દ્વારા આયોજન

  • પાંચ જિલ્લામાં લોકમેળો યોજાશે

  • સુરતમાં 400 કલાકરો લોકનૃત્યની કરશે પ્રસ્તુતિ   

પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળા નું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે,રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોરબંદર ઉપરાંત સુરતવડોદરા,અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે,જે અંતર્ગત સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એપ્રિલ 2025ના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઉત્તરપૂર્વીય રાજ્યના 200 કલાકારો તેમજ ગુજરાતના 200 કલાકારો દ્વારા લોક નૃત્ય અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે.એક એપ્રિલના રોજ સુરતના લોકોને આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે,જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે,આ ઉપરાંત સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 400 કલાકારોના નિવાસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : પુણામાં એમ્બ્રોડરી ખાતામાં ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરતી પોલીસ

એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર

New Update
  • એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ અને લૂંટનો મામલો

  • કારખાનામાં કામ કરતા પૂર્વ કારીગરે જ રચ્યું કાવતરૂં

  • ફાયરિંગ કરીને ઘટનાને આપ્યો હતો અંજામ

  • કારીગરોના મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ

  • પોલીસે એક આરોપીની ગુરુગ્રામથી કરી ધરપકડ 

સુરતના પુણામાં આવેલ એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના પુણા ગામમાં 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગલૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો.તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. અને તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ કારીગરોના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કેઆ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતોજે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતીપરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકેબાતમીના આધારે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી.અને  પોલીસે 41 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામાં હજી પણ મુખ્ય આરોપી દિલીપસિંહ ફરાર છે,તેની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.