સુરત : AAPના કાર્યકરોને માર મારનાર ભાજપના જ લોકો હોવાનો પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ પુરાવો આપ્યો
આમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતું.
સુરતમાં ગતરોજ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા AAPના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં AAPના મહામંત્રી અને યુવા પ્રમુખને માર મારવામાં આવ્યો હતો. જેને લઈન આજે AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહારો કરી AAPના કાર્યકરોને માર મારનાર ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો આપ્યો હતો.
સુરત ખાતે AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતું કે, 2 દિવસ પહેલાં પાલિકામાં AAPના કાર્યકરોને પોલીસ અને માર્શલોએ બેફાન માર માર્યો હતો. એટલું જ નહીં મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા હતા. એક કોર્પોરેટરનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આટલી હદે ભાજપની દાદાગીરી જોઈ આમ આદમી પાર્ટીએ વિરાધમાં સુરતના ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યલયે રજૂઆત કરવા ગયા હતા.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, અમે રજૂઆત કરવા ગયા, ત્યારે ભાજપના કાર્યાલય ખાતે 400થી વધુ લુખ્ખાતત્વો હિંસા કરવાની તૈયારી સાથે હાજર હતા. વિરોધ પક્ષનું કામ હોય છે કે, નિતી રીતે સાથે વિરોધ કરવો. ભાજપે પણ કોઈ જમાનામાં તમામ પ્રકારનો વિરોધ કર્યો જ છે. તમારા કાર્યલયે કોઈ વિરોધ કરવા આવે તો હાથાપાઈ કરવી યોગ્ય નથી. સાથે જ આમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતું.
ગત રોજ આપ પાર્ટી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ પોલીસે કોઈપણ ભાજપના કાર્યકર્તાઓના નામનો ઉલ્લેખ કર્યો નથી. આ ઘટના બિલકુલ નિંદનીય છે. જે બાબતે લાંબી લડાઈ લડવા AAP પાર્ટીએ તૈયારી બતાવી છે. આ સાથે જ AAPના કાર્યકરોને માર મારનાર તમામ ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો ગોપાલ ઈટાલિયાએ આપ્યો હતો.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
શિવ સેના કે શિંદે પક્ષ ..કોની થશે જીત..? મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે...
3 July 2022 4:20 AM GMTCovid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMT