સુરત : દુબઈથી ઓપરેટ થતા શેરબજાર,ફોરેક્ષ, MLMનું રૂપિયા 335 કરોડના રેકેટનો પર્દાફાશ,ત્રણની ધરપકડ 11 વોન્ટેડ

ભેજાબાજો દ્વારા કરન્સી ટ્રેડીંગના નામે શેરબજાર, ફોરેક્ષ સહિત મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવતા હતા

New Update
  • ઉત્રાણમાંથી આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ

  • સાયબર ક્રાઇમ પોલીસે કર્યો મોટા કૌભાંડનો પર્દાફાશ

  • શેરબજાર,ફોરેક્ષ, MLMનું રૂપિયા 335 કરોડનું રેકેટ 

  • સ્કીમમાં રોકાણ કરાવીને ઓનલાઇન કરાતુ હતું ચીટિંગ

  • દુબઈથી ઓપરેટ કરવામાં આવતું હતું સમગ્ર કૌભાંડ

  • ત્રણ આરોપીની ધરપકડ જ્યારે 11 વોન્ટેડ જાહેર 

સુરતના  ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે પ્રગતિ આઇટી પાર્કમાં સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસમાંથી આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ભેજાબાજો દ્વારા કરન્સી ટ્રેડીંગના નામે શેરબજારફોરેક્ષ સહિત મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી ઓનલાઇન ચીટિંગ કરતી ટોળકીનું 335 કરોડનું રેકેટ પકડાયું છે.

સુરતના ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે પ્રગતિ આઇટી પાર્કમાં શકાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસમાં સાયબર ક્રાઇમ પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.જેમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો હતો.દુબઈથી મુખ્ય સૂત્રધાર દિપેન ધાનક અને તેના પિતા તેમજ ભાઈ આ રેકેટ ઓપરેટ કરતા હતા.

સાયબર ક્રાઇમે દિપેનના ભાઈ ડેનિશ ધાનકને રાજકોટથી દબોચી લીધો છે. જ્યારે પેવીયો સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંચાલક જયસુખ પટોળીયા અને ડાયરેક્ટર યશ પટોળીયાને સરથાણામાંથી પકડી પાડ્યા છે. ત્રણેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ઉત્રાણની ઓફિસમાં સાયબર ક્રાઇમે રેડ કરી ત્યારે અલ્પેશઝરીત અને વિશાલ મળ્યા હતા. ત્રણેયના લેપટોપમાંથી બેંક ખાતાની તપાસ કરાતા કરોડોના બેનામી ટ્રાન્જેકશનો મળ્યા હતા. રેલો આવતા ત્રણેય ગાયબ થઈ ગયા હતા. હાલમાં સાયબર ક્રાઇમે ઉત્રાણ અને રાજકોટની ઓફિસમાંથી લેપટોપ-5ટેબલેટ-3ડાયરી-8ડેબિટ કાર્ડ-3ચેકબુક અને રોકડ 39.87 લાખ કબજે કરી છે. આરોપીઓના 14 બેંક ખાતામાંથી 235.41 કરોડના ટ્રાન્જેકશનો ઉપરાંત 100 કરોડથી વધુના વ્યવહારો મોટા વરાછા અને સરથાણાના પી.એમ આંગડિયા મારફતે થયેલા હોવાની હકીકતો મળી છે.

રાજકોટ ખાતેની ઓફિસમાં રેડ કરતા સાયબર ક્રાઇમના સ્ટાફને જમીન3 ફલેટ અને ઓફિસના વેચાણ દસ્તાવેજો મળી આવ્યા હતા. સૂત્રધાર દિપેનનું રાશનકાર્ડપાનકાર્ડચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ નંબર સહિતની વિગતો મળી હતી. હાલ પોલીસે ત્રણ આરોપી ડેનિશ ધાનક,જયસુખ પટોળીયા અને યશ પટોળીયાની ધરપકડ કરી છે,જ્યારે 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Read the Next Article

“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • નૂતન વર્ષના પ્રારંભે પોલીસે અનોખી હળવાશભરી ઉજવણી કરી

  • પોલીસ કમિશનરના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • 'હમ તો સાત રંગ હૈંગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરાય

  • વિવિધ ગીત થકી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

  • કમિશનરે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ મેગા ઑપરેશનની જાહેરાત કરી

Advertisment
1/38

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંગીતમય માહોલ ઊભો કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

વિક્રમ સંવત 2082ના મંગલમય નૂતન વર્ષના પ્રારંભે સુરત પોલીસે એક અનોખી અને હળવાશભરી ઉજવણી કરી હતી. પરંપરાગત શુભેચ્છા કાર્યક્રમને સંગીતમય માહોલમાં બદલીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ગીતો ગાઈને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નૂતન વર્ષ નિમિત્તે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતજોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સરેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને ઇકો સેલના ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા સાથે મળીને 'હમ તો સાત રંગ હેયે જહાં રંગી બનાયેંગેગીત ગાતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતામાં વ્યસ્ત રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ રીતે ગીતગાન કરીને એક હળવાશ અને સૌહાર્દપૂર્ણ માહોલનો અનુભવ કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને આગામી સમયની પોલીસની રણનીતિ અંગે મહત્ત્વનું સંબોધન કર્યું હતુંજેમાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મુક્યો હતો. કમિશનર ગહેલોતે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કેઆવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી માટે તૈયાર છે.

સાથે જાહેરાત કરી હતી કેસુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડ્રગ્સ પેડલર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો માહોલ બદલવામાં આવશે. જેથી ફરિયાદી કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશન આવી શકે. જેમાં પોલીસ દરેક ફરિયાદીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે તેવી પોલીસ કમિશનરે ખાતરી આપી હતી.

Latest Stories