Connect Gujarat
સુરત 

સુરત : વધુ પડતા ખાતર, જંતુનાશક દવા અને પાકની ફેરબદલી ન થતાં સાયણમાં શેરડીનું ઉત્પાદન ઘટ્યું..!

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં દર વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના સાયણ પંથકમાં શેરડી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

X

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં દર વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના સાયણ પંથકમાં શેરડી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે. દક્ષિણ ગુજરાતમાં ચાર લાખ એકરમાં શેરડીનો પાક લેવામાં આવે છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. જેની પાછળ વધુ પડતા ખાતર, જંતુનાશક દવાઓ, વાતાવરણ અને દર 2 વર્ષે ખેડૂતો પાકની ફેરબદલી ન કરતા હોવાનું મુખ્ય કારણ છે. સાયણ પંથકમાં મુખ્ય પાક શેરડીનો છે. પહેલા ઓક્ટોબર મહિનામાં વરસાદ બંધ થતો હતો, અને ઓક્ટોબર મહિનામાં પિલાણ સિઝન શરૂ થતી હતી. ઋતુઓ સમયસર બદલાઈ જતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુઓ પાછળ જઈ રહી છે. સતત વાતાવરણ બદલાઈ રહ્યું છે, જે રીતે ઉદ્યોગો વિકસિત થઈ રહ્યા છે, જેને લઇને પર્યાવરણ પર સીધી અસર થઈ રહી છે, તેમજ શેરડીનું ઉત્પાદન લીધા પછી જમીન તપવી જોઈએ અને છાણીયા ખાતરનો ઉપયોગ વધુ થવો જોઈએ. જેથી જમીનની ફળદ્રુપતા ટકી રહે પણ હાલ આવું થતું નથી. આ તમામ ઉત્પાદન ઘટાડા પાછળના મુખ્ય કારણો છે.

જોકે, આ તમામ કારણોની સીધી અસર શેરડીના ઉત્પાદન પર થઈ રહી છે, અને દર વર્ષે શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈ શેરડી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શેરડીના ઘટી રહેલા ઉત્પાદનને લઈને 31 હજાર જેટલા સભાસદો ધરાવતી કામરેજ સુગર ફેકટરીના પ્રમુખ અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, કામરેજ પંથકમાં આ વર્ષે 18 હજાર એકર લામ અને શેરડીનું રોપાણ થયું છે. આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં એકર દિઠ 5થી 6 ટનનો ઘટાડો થયો છે. જેનું કારણ છે, ખેડૂતો વર્ષોથી એકનો એક પાક બનાવે છે, અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરે છે. જેને લઈને જમીન કડક થઈ ગઈ છે, અને પાકના મૂળિયાં ઊંડે સુધી જતાં નથી. જોકે, આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે, તેમજ અહી ભૂંડનો પણ બહુ ત્રાસ છે, ત્યારે ખેડૂતો પાકની ફેરબદલી કરે તેમજ પ્રાકૃતિક ખેતી કરે તે માટે કામરેજ સુગર દ્વારા અવારનવાર સેમીનારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Next Story