સુરત : ઉધનામાં સરકારી અનાજની દુકાન પર પુરવઠા વિભાગના દરોડા, 7 લાખની છેતરપિંડી ઝડપાઇ

સુરતના ઉધનાની યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે પુરવઠા વિભાગની ટીમે દુકાન પર દરોડા પાડ્યા હતા.

New Update
  • ઉધનામાં પુરવઠા વિભાગના દરોડા

  • યુ-51 સરકારી અનાજની દુકાન પર દરોડા

  • રૂ.7.24 લાખની છેતરપિંડી ઝડપાય

  • સંચાલક અને તોલાટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • સંચાલકના અંગુઠાની નકલી છાપનો કરાતો ઉપયોગ

  • સંચાલક બે માસથી કેનેડા હોવાનું આવ્યું બહાર

સુરતમાં પુરવઠાના નિયમોનું ઉલ્લંઘન કરીને તોલાઅને હેલ્પર દ્વારા ચલાવવામાં આવતી યુ-51 નંબરની સરકારી અનાજની દુકાન પર પુરવઠા વિભાગે દરોડા પાડીને રૂપિયા 7 લાખ 24 હજારની છેતરપિંડી પકડી પાડી હતી. પુરવઠા વિભાગે સંચાલક અને તોલાવિરુદ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના ઉધનાની યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે પુરવઠા વિભાગની ટીમે દુકાન પર દરોડા પાડ્યા હતા.અને તપાસ કરતા તોલાસુનિલ શ્યામલાલ સુયલ અને હેલ્પરની મદદથી અનાજનું વિતરણ કરવામાં આવતું હતું. વિતરણ માટે સંચાલક ન હોવા છતાં તેની ફિંગર પ્રિન્ટના આધારે સરકારી સોફ્ટવેરમાં લોગીન કરતો હતો. જ્યારે લાભાર્થીઓને અનાજ આપવા માટે ફિંગર પ્રિન્ટના આધારે ફૂડ રસીદ કાઢતો હતો.

આ રસીદ ગ્રાહકને આપવાને બદલે પોતાની રીતે અનાજ આપતો હતો.પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતા 221.500 કિલો ઘઉં123 કિલો ચોખા,9.200 કિલો ખાંડ11 કિલો ચણા અને 139 કિલો તુવેરની ઘટ મળી આવી હતી.આ રૂપિયા 6,29,250ની કિંમતનું અનાજ વગે કરી દીધું હતું.જ્યારે સરકાર પાસેથી ખોટી રીતે રૂપિયા 60 હજારનું કમિશન લઈ લીધું હતું. બનાવ અંગે પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે પાંડેસરા પોલીસમાં સંચાલક અલ્પેશ અને તાલોસુનિલ વિરુદ્ધ રૂપિયા 7 લાખ 24 હજાર 535ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પુરવઠા વિભાગની રેડ દરમિયાન સંચાલક અંગે પૂછતા તોલાસુનિલે સંચાલકને લકવા થયો હોવાનું અને બે મહિનાથી ઘરે જ હોવાનું કહ્યું હતું. જોકેશંકા જતા પુરવઠા વિભાગની ટીમે તેના ઘરે જઈને તપાસ કરતા સંચાલક અલ્પેશ બે મહિનાથી કેનેડા હોવાનું માલુમ પડ્યું હતું.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.