સુરત: VNSGUમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા, યુની.એ પોલીસને લખ્યો પત્ર

કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે.

New Update
સુરતમાં આવેલી છે વીર નર્મદ યુનિવર્સિટી
યુનિવર્સિટી દ્વારા પોલીસને લખાયો પત્ર
યુની.માં ડ્રગસ રેકેટ ચાલી રહ્યો હોવાની શંકા
વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટની કરાય માંગ
ગણેશ સ્થાપન અંગે ચાલી રહ્યો છે વિવાદ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા સેવાય રહી છે. કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે. કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે. પત્રમાં લખાયું છે કે ‘ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યા છે.
વિદ્યાર્થીઓનું વર્તન જોતાં નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે, જે ધ્યાને લઈને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી છે.આ વર્ષે એબીવીપીએ કેમ્પસમાં એમ્ફી થિયેટર પાસે ગણેશજીની સ્થાપના કરવા મંજૂરી માંગી હતી, જ્યારે યુનિવર્સિટીના સત્તાધિશોએ પણ કેમ્પસમાં એક જ સ્થાપના કરવા દેવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ ન થાય. જોકે, આ નિર્ણય સામે પૂર્વ પેનલે યુનિવર્સિટી કેમ્પસમાં જ બીજા ગણેશજી સ્થાપવાની જીદ પકડતાં વિવાદ સર્જાયો છે.
Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.