સુરત : સુમુલ ડેરીમાં પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થઈ છુરાબાજી, એક ડ્રાઇવરની હત્યા

સુરતની સુમુલ ડેરી ખાતે વાહન પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થયેલાં ઝઘડામાં એક ડ્રાઈવરની હત્યાની ઘટના સર્જાય હતી

New Update
સુરત : સુમુલ ડેરીમાં પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થઈ છુરાબાજી, એક ડ્રાઇવરની હત્યા

સુરતની સુમુલ ડેરી ખાતે વાહન પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થયેલાં ઝઘડામાં એક ડ્રાઈવરની હત્યાની ઘટના સર્જાય હતી, ત્યારે સહકર્મીની હત્યાના પગલે ડેરીના કર્મચારીઓએ હડતાળ પર ઉતરી યોગ્ય ન્યાયની માંગણી કરી હતી. જોકે, મહિધરપુરા પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરની સુમુલ ડેરી સામે આવેલી મિલિન્દ્રનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો 30 વર્ષીય સુનિલ ગુપ્તાને શુક્રવારે સાંજે સુમુલ ડેરીમાં પાર્કિંગના મુદ્દે અન્ય ટેન્કર ડ્રાઇવર રવિ શુક્લા સાથે ઝગડો થયો હતો. ઝઘડા દરમ્યાન રવિએ ચપ્પુ વડે સુનિલ ઉપર હુમલો કર્યો હતો. પોતાની પાસે રહેલું ચપ્પુ રવિએ સુનિલની છાતીમાં ઘૂસાડી દેતાં તે ત્યાં જ ફસડાઇ પડ્યો હતો, ત્યારે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત ડ્રાઇવર સુનિલને કિરણ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સુમુલ ડેરીના કેમ્પસમાં થયેલી છુરાબાજીની ઘટનાથી ભારે ચકચાર મચી જતાં મહીધરપુરા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાના આરોપી ડ્રાઇવર રવિ શુક્લાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, સુનિલની હત્યાના પગલે ડેરીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ન્યાય માટે માંગણી કરી હતી, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે, ડ્રાઇવરે દૂધની ડિલીવરી કરવાની હોય છે, ત્યારે ચપ્પુ લઇને ફરતાં આવા ડ્રાઇવરોની પોલીસ દ્વારા તપાસ થવી જોઇએ તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.

Latest Stories