સુરત : તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરાય, દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા

જેના દર્શન માત્રથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય તેવી તાપી નદીનો આજે જન્મદિવસ છે,

New Update
સુરત : તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરાય, દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા

જેના દર્શન માત્રથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય તેવી તાપી નદીનો આજે જન્મદિવસ છે, ત્યારે સુરત કોઝ-વે ખાતે તાપી માતાના સાલગીરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દુગ્ધાભિષેક, તાપી સ્નાન અને ચુંદડી અર્પણ કરી સુરતવાસીઓએ ધન્યતા અનુભવી હતી.

કહેવાય છે કે, તાપી પુરાણમાં ઉલ્લેખિત 2 કલ્પ પછી પૃથ્વી પરનો અંધકાર દૂર કરવા બ્રહ્માની સ્મૃતિ બાદ સૂર્યનારાયણે પ્રસરાવેલા તેજનો પ્રકોપ પૃથ્વીના જીવોથી સહન ન થતાં ભગવાનની આંખોમાંથી આંસુ તાપી મૈયા સ્વરૂપે વહેતાં થયા હતા. પુણ્યસલિલા તાપીના તટે પુરાણ કાળથી સુરતની 'સૂરત' અને વિસ્તાર વિસ્તરતા રહ્યા છે. જોકે, સુરતની જાહોજલાલી તાપી મૈયાના કારણે હોવાનું કહી શકાય તેમ છે. તાપીના પૂજન-અર્ચન સાથે તેનું જતન પણ વર્તમાનની આવશ્યક્તા બન્યું છે, ત્યારે સુરતમાંથી પસાર થતી તાપી માતાની સાલગીરા મહોત્સવની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજિત તાપી જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરત મેયર સહિતના આગેવાનો, સંતો-મહંતો તેમજ હરિઓમ ગ્રુપના સભ્યો દ્વારા તાપી માતાને 600 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. તો સાથે જ તાપી માતાની આરતી કરી શ્રધ્ધાળુંઓએ મહા પ્રસાદનો પણ લાભ લીધો હતો, ત્યારે આ અવસરે તમામ દેશવાસીઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને કોરોના મહામારીમાંથી દેશ અને દુનિયા બહાર આવે તેવી પણ સૌકોઈએ પ્રાર્થના કરી હતી.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.