સુરત: દુષ્કર્મ સહિતના ગુનાની પીડિતાને ચૂકવાયેલ રકમ હવે આરોપીઓ પાસે વસૂલાશે

દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા આર્થિક સહાય માટે રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે

New Update
સુરત: દુષ્કર્મ સહિતના ગુનાની પીડિતાને ચૂકવાયેલ રકમ હવે આરોપીઓ પાસે વસૂલાશે

દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાઓને સરકારે ચુકવેલ રકમની વસૂલી કરવા કેદીઓને કોર્ટેએ નોટિસ આપી છે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા આર્થિક સહાય માટે રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે જ્યારે આ આર્થિક રકમની ભરપાઈ કરવા કોર્ટેએ 200 કરતા વધુ કેદીઓને નોટિસ પાઠવી 3.74 કરોડ રૂપિયાની ચૂકવણી કરવા જણાવ્યું છે...

નિર્ભયા પ્રકરણ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ભોગ બનનાર મહિલા પીડિતાને આર્થિક સહાય પેટે રકમ ચૂકવવા એક યોજના બનાવી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ દુષ્કર્મ, પોસ્કો,એસિડ અટેક સહિત મહિલાને થતા અત્યારના કેસમાં આર્થિક સહાય પેટે રકમ ચૂકવવામાં આવે છે સુરત શહેરમાં 2016 થી આજ દિન સુધી દુષ્કર્મ,પોસ્કોના ગુનામાં 3 કરોડ કરતા વધુ રકમ ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા ચૂકવવામાં આવેલ છે સરકારે ચૂકવેલ આ રકમ ગુના આચરનાર 200 કરતા વધુ આરોપીઓ પાસેથી વસૂલી કરવા કોર્ટેએ જેલ ભોગી રહેલા આરોપીઓને નોટિસ પાઠવી છે. સુરત જિલ્લાના સરકારી વકીલ ભદ્રેશ દલાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં ભોગ બનનારાઓને રૂપિયા 3 કરોડ 74 લાખ જેટલી રકમ ચૂકવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી આ રકમ જે તે કેસના આરોપીઓ પાસેથી વસુલ કરવામાં આવે છે આરોપી પાસેથી રકમની વસૂલાત કરવા માટે નામદાર સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે સુરત જિલ્લામાં ૨૦૦ જેટલા કેસોના દાવા કરવામાં આવેલા છે જે હાલ પેન્ડિંગ છે...

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.