સુરત: દુષ્કર્મ સહિતના ગુનાની પીડિતાને ચૂકવાયેલ રકમ હવે આરોપીઓ પાસે વસૂલાશે

દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા આર્થિક સહાય માટે રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે

New Update
સુરત: દુષ્કર્મ સહિતના ગુનાની પીડિતાને ચૂકવાયેલ રકમ હવે આરોપીઓ પાસે વસૂલાશે

દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાઓને સરકારે ચુકવેલ રકમની વસૂલી કરવા કેદીઓને કોર્ટેએ નોટિસ આપી છે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા આર્થિક સહાય માટે રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે જ્યારે આ આર્થિક રકમની ભરપાઈ કરવા કોર્ટેએ 200 કરતા વધુ કેદીઓને નોટિસ પાઠવી 3.74 કરોડ રૂપિયાની ચૂકવણી કરવા જણાવ્યું છે...

નિર્ભયા પ્રકરણ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ભોગ બનનાર મહિલા પીડિતાને આર્થિક સહાય પેટે રકમ ચૂકવવા એક યોજના બનાવી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ દુષ્કર્મ, પોસ્કો,એસિડ અટેક સહિત મહિલાને થતા અત્યારના કેસમાં આર્થિક સહાય પેટે રકમ ચૂકવવામાં આવે છે સુરત શહેરમાં 2016 થી આજ દિન સુધી દુષ્કર્મ,પોસ્કોના ગુનામાં 3 કરોડ કરતા વધુ રકમ ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા ચૂકવવામાં આવેલ છે સરકારે ચૂકવેલ આ રકમ ગુના આચરનાર 200 કરતા વધુ આરોપીઓ પાસેથી વસૂલી કરવા કોર્ટેએ જેલ ભોગી રહેલા આરોપીઓને નોટિસ પાઠવી છે. સુરત જિલ્લાના સરકારી વકીલ ભદ્રેશ દલાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં ભોગ બનનારાઓને રૂપિયા 3 કરોડ 74 લાખ જેટલી રકમ ચૂકવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી આ રકમ જે તે કેસના આરોપીઓ પાસેથી વસુલ કરવામાં આવે છે આરોપી પાસેથી રકમની વસૂલાત કરવા માટે નામદાર સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે સુરત જિલ્લામાં ૨૦૦ જેટલા કેસોના દાવા કરવામાં આવેલા છે જે હાલ પેન્ડિંગ છે...

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.