સુરત : ચેક રીટર્ન કેસમાં ડાયમંડ કંપની સામે વેપારીઓનો વિરોધ, છેલ્લા 6 વર્ષથી સમસ્યા ઠેરની ઠેર હોવાનો આક્ષેપ..!

વરાછા વિસ્તારની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રીટર્નના કેસ પરત નહીં ખેંચવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજાયું.

New Update

વરાછા વિસ્તારની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે વિરોધ, હીરા વેપારીઓના પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન

સુરત શહેરના વરાછા વિસ્તારની K.P.Sanghvi Diamond કંપની સામે હીરા વેપારીઓએ ચેક રીટર્ન કેસને લઈને ધરણા પ્રદર્શન યોજ્યા હતા. સુરત શહેરના વરાછા વિસ્તારની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રીટર્નના કેસ પરત નહીં ખેંચવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

કંપની દ્વારા હજી 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ થયો છે. હીરા વેપારીઓના જણાવ્યા મુજબ, ડાયમંડ એસોસિયેશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરવામાં આવ્યું હતું.

સિક્યોરિટી પેટે આપેલા ચેક રીટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છે, ત્યારે છેલ્લા 6 વર્ષથી આ સમસ્યા ઠેરની ઠેર રહી છે. જોકે, કંપની દ્વારા હીરા વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીથી લઈ તમામ વિભાગમાં આ મામલે રજૂઆત કરવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.