Connect Gujarat
સુરત 

સુરત: ગરબા મહોત્સવમાં વાહન હટાવવાનું કહેતા બે સગા ભાઈની છરીના ઘા મારી હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે

X

સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે

ગુજરાતમાં નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગઈકાલે મહાઅષ્ટમીની રાતે સુરતમાં સગા બે ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બન્ને ભાઈ ગરબે રમતા હતા ત્યારે કેટલાક શખસો આવ્યા હતા અને ગાડી હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો અને ઝઘડો થયો હતો. બાદમાં બન્ને ભાઈને 3 શખસે છરીથી રહેંસી નાખ્યા હતા. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં બન્ને ભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે બન્નેનાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે 3 શખસની અટકાયત કરી લીધી છે. કોસાડ આવાસમાં 3 શખસે છરીના ઘા ઝીંકી રાહુલ અને પ્રવીણ નામના બે સગા ભાઈની હત્યા કરી હતી. હત્યા બાદ આ શખસો ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ત્રણેય શખસની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બન્ને ભાઈના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પીએમ ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો ઊમટી પડ્યાં છે. નજીવી બાબતે બે સગા ભાઈની ડબલ મર્ડરની ઘટના બનતા અમરોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી. મોડીરાત્રે જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટના બાબતે નિવેદનો લેવાનાં શરૂ કરાયાં હતાં. જેમાં મૃતકનાં પરિવારજનોએ જે માહિતી આપી હતી તેના આધારે પોલીસે તપાસ કરતા આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story