સુરત : VNSGU દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ,147 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે અયોગ્ય જાહેર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલ પરિક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટીએ કડક વલણ અપનાવાયું

New Update
  • કોલેજ પરીક્ષામાં ગેરરીતિનો મામલો

  • VNSGUએ અપનાવ્યું કડક વલણ

  • 147 વિદ્યાર્થીઓએ આચરી ગેરરીતિ

  • VNSGUએ પૂરક પરીક્ષા માટે ઠેરવ્યા અયોગ્ય

  • વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી માટે અજમાવતા હતા તરકીબ     

સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલ પરિક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટીએ કડક વલણ અપનાવાયું છે.અને 147 વિદ્યાર્થીઓને અયોગ્ય ઠેરવીને પૂરક પરીક્ષાથી દૂર કરવામાં આવ્યા છે.

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની તાજેતરની બેઠકમાં 147 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની સાથે તેમને આવતા જૂન-જુલાઈ મહિનાની પૂરક પરીક્ષાઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરીક્ષાની પવિત્રતાને જાળવવી એ યુનિવર્સિટીની પ્રથમ જવાબદારી છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ સહન કરવી શક્ય નથી. અને દરેક કેસની નિષ્ઠાપૂર્વક તપાસ અને પુરાવાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કમિટીએ કરેલી તપાસમાં પરીક્ષા દરમિયાન અલગ અલગ પ્રકારની નકલ અને ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં 68 વિદ્યાર્થી પાસેથી કાપલીઓમાં લખાયેલ સામગ્રી મળી આવી હતીજે તેઓ પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લઈ રહ્યા હતા. કાપલીમાંથી લખાણ ઉતારતા 41 વિદ્યાર્થીએ સીધા કાપલીમાંથી જવાબ લખતા ઝડપાયા હતા. જ્યારે 11 વિદ્યાર્થી પાસેથી મોબાઈલ ફોનસ્માર્ટવોચબ્લૂટૂથ જેવી ડિવાઈસ મળી આવી હતીજેના આધારે નકલ કરવાની શક્યતાઓ વધતી હતી. જ્યારે 1 વિદ્યાર્થીએ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું.જ્યારે કેટલાકે હાથ-પગપેન્સિલ-રબર વગેરે ઉપર લખાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આક્ષેપિત તમામ વિદ્યાર્થીઓને તેમની બાજુ રજૂ કરવાનો અવસર આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની વાત કમિટી સમક્ષ રજૂ કરીત્યારબાદ સમિતિએ તમામ પાસાઓને ધ્યાને લઈને અંતિમ નિર્ણય લીધો હતો.યુનિવર્સિટીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ ગેરરીતિ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવશે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.